Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણીતા ફેશન ડિઝાઈનર સત્ય પૉલનુ નિધન, સદગુરુએ ટ્વિટ કરીને આપી માહિતી

ફેશન ડિઝાઈનિંગન દુનિયાનુ મોટુ નામ સત્ય પૉલ(Satya Paul)હવે આપણી વચ્ચે નથી રહ્યા.

નવી દિલ્લીઃ ફેશન ડિઝાઈનિંગન દુનિયાનુ મોટુ નામ સત્ય પૉલ(Satya Paul)હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગુરુવારે સત્ય પૉલનુ 79 વર્ષની ઉંમરે તમિલનાડ઼ુના કોઈમ્બતુર(Coimbatore)માં નિધન થઈ ગયુ. ઈશા યોગ કેન્દ્રના સંસ્થાપક સદગુરુએ ટ્વિટ કરીને જાણીતા ફેશન ડિઝાઈનર સત્ય પૉલના નિધનની માહિતી આપી. ડિસેમ્બરમાં સત્ય પૉલને સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તે ઈશા યોગ સેન્ટરમાં જતા રહ્યા હતા. આ દરમિયાન 6 જાન્યુઆરીએ તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ.

સદગુરુએ ટ્વિટ કરીને આપ્યા નિધનના સમાચાર

સદગુરુએ ટ્વિટ કરીને આપ્યા નિધનના સમાચાર

સત્ય પૉલ (Satya Paul passes away)ના નિધનના સમાચાર આપીને ઈશા સેન્ટરના સંસ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવે(Sadhguru Jaggi Vasudev) ટ્વિટમાં લખ્યુ, 'સત્ય પૉલ, જોશીલા ઉત્સાહ અને અવિશ્વસનીય ભાગીદારી સાથે જીવવાનુ એક ચમકતુ ઉદાહરણ હતા, ભારતીય ફેશન ઉદ્યોગમાં સત્ય પૉલ દ્વારા લાવવામાં આવેલ વિશિષ્ટ દ્રષ્ટિકોણ તેમના માટે સાચી અને સુંદર શ્રદ્ધાંજલિ છે. અમારી વચ્ચે તમારુ હોવુ સૌભાગ્યની વાત છે. સંવેદના અને આશીર્વાદ.'

દીકરાએ જણાવ્યુ - ડિસેમ્બરમાં આવ્યો હતો સ્ટ્રોક

દીકરાએ જણાવ્યુ - ડિસેમ્બરમાં આવ્યો હતો સ્ટ્રોક

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ સત્ય પૉલને ડિસેમ્બરમાં સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમને એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. અહીં તેમની તબિયતમાં સુધારો દેખાવા લાગ્યો. સત્ય પૉલને દીકરી પુનીત નંદાએ જણાવ્યુ કે તેમને 2 ડિસેમ્બરે એટેક આવ્યો અને તે હોસ્પિટલમાં ધીમે ધીમે ઠીક થઈ રહ્યા હતા. તેમની હંમેશાથી એક ઈચ્છી રહી હતી કે એ બધી વસ્તુઓને મેળવવામાં આવે જેનુ નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ હતુ.

2015થી જ ઈશા યોગ સેન્ટરમાં રહેતા હતા સત્ય પૉલ

2015થી જ ઈશા યોગ સેન્ટરમાં રહેતા હતા સત્ય પૉલ

તમને જણાવી દઈએ કે સત્ય પૉલ વર્ષ 2015થી જ ઈશા યોગ સેન્ટરમાં રહેતા હતા. હોસ્પિટલથી રિકવર થયા બાદ તેમને પાછા ત્યાં જ મોકલી દેવામાં આવ્યા હતા. સત્યા પૉલના અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સત્યા પૉલે ઘણા ફેમસ ફોટા શેર કરવામાં આવ્યા છે. આ સાથે કેપ્શનમાં લખ્યુ છે, 'અમારા સંસ્થાપક સત્ય પૉલ 1942-2021ની સુંદર અને પ્રેરક યાત્રાની ઉજવણી કરતા.'

ડિઝાઈનરથી વધુ સાધક હતા પિતા - પુનીત

ડિઝાઈનરથી વધુ સાધક હતા પિતા - પુનીત

સત્ય પૉલના દીકરા પુનીત નંદાએ જણાવ્યુ કે મોટાભાગા લોકોને ખબર નહોતી કે તેમના પિતા ડિઝાઈનર કે એક ઉદ્યમીથી વધુ એક સાધક હતા. 70ના દશકમાં ફેશન ડિઝાઈનર સત્ય પૉલની અંદર આધ્યાત્મની યાત્રા ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે દાર્શનિક જે કૃષ્ણમૂર્તિની વાર્તામાં હિસ્સો લીધો. ત્યારબાદ તે ઓશોના માર્ગદર્શન પર ચાલ્યા અને 1990માં ઓશો જતા રહ્યા બાદ તેઓ 2007માં સદગુરુને મળ્યા. જો કે તેમને બીજા ગુરુની શોધ નહોતી પરંતુ સત્ય પૉલ સદગુરુથી ઘણી પ્રભાવિત થયા, છેવટે 2015માં તે અહીં આવતા રહ્યા.

Indian Coast Guard recruitment 2021: 10મુ-12મુ પાસ માટે ભરતી

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X