'ચીની ઘુષણખોરી પર નહેરુ જેવી ભૂલ કરી રહ્યાં છે મનમોહન'

રિટાયર્ડ મેજર જનરલ ખંડુરીએ કહ્યું કે, ચીની સૈનિક ભારતીય સીમામાં 19 કિમી સુધી ઘુસી ગયા છે અને પ્રધાનમંત્રી કહે છે કે આ સ્થાનિક સમસ્યા છે અને ઘુષણખોરીની સમસ્યા નથી. આ પ્રકારનું વલણ દેશ માટે યોગ્ય નથી.
તેમણે કહ્યું કે, 1962માં ચીન-ભારત યુદ્ધ પહેલા તિબેટમાં ભારતીય સીમાઓ નજીક ચીને બુનિયાદી ઢાંચો અને સૈન્ય નિર્માણોની તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરાલ નહેરુએ અનદેખી કરી હતી. આટલી મોટી સંખ્યામાં ચીની સૈનિકોની આ વખતે ભારતીય સરહદમાં ઘુષણખોરીને હળવાશથી લેવાથી ફરીથી તેવા જ હાલાત બની શકે છે અને દેશને તે મોંઘુ પડી શકે છે.
ખંડુરીએ કહ્યું કે ચીને 1962ના યુદ્ધ પહેલા તિબેટમાં ભારતીય સીમાઓ નજીક હવાઇ પટ્ટીઓ, હેલિપૈડ અને રસ્તાઓનું નિર્માણ શરૂ કરી દીધું હતુ, પરંતુ તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ એ તમામ બાબતની અનદેખી કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, આખરે ચીને આપણા પર હુમલો કર્યો અને આપણે હારી ગયા. દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શરમજનક સ્થિતિમાં મુકાવુ પડ્યું. પ્રધાનમંત્રીએ ચીની સૈનિકોની ઘુષણખોરીના મુદ્દે સંપૂર્ણપણે ગંભીરતા લેવી જોઇએ.












Click it and Unblock the Notifications
