For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકામાં તમિળોને ન્યાય અપાવવા સરકાર પ્રતિબદ્ધ: ખુર્શિદ

By Super
|
Google Oneindia Gujarati News

Salman-Khurshid
નવીદિલ્હી, 27 ફેબ્રુઆરીઃ એક તરફ એઆઇએડીએમકે અને લેફ્ટ પાર્ટીઓ દ્વારા શ્રીલંકામાં તમિળો માટે કંઇજ કરવામાં આવ્યું નહીં હોવાનો આરોપ સરકાર પર લગાવવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ વિદેશ પ્રધાન સલમાન ખુર્શિદે કહ્યું છે કે શ્રીલંકામાં તમિળોને ન્યાય અપાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. શ્રીલંકામાં વોર ક્રાઇમ્સ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં ખુર્શિદે કહ્યું, ' હું ફરી-ફરીથી કહું છે કે શ્રીલંકામાં લડાઇના અંત માટે સરકાર પ્રતિબદ્ધ છે.'

ખુર્શિદે વધુમાં કહ્યું કે, જ્યારે પણ શ્રીલંકા સાથે બેઠક થાય છે ત્યારે ભારત દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવે છે. ' શ્રીલંકા સાથેની દરેક બેઠકમાં અમે એ પ્રશ્ન ઉઠાવીએ છીએ કે અંદરની તરફથી જવાબદારી જાળવવામાં આવે તે જરૂરી છે. અમે સમૃદ્ધ અને એકજૂટ શ્રીલંકા ઇચ્છીએ છીએ.' તેમ ખુર્શિદ દ્વારા રાજ્યસભામાં કહેવામાં આવ્યું છે.

'જે લોકો શ્રીલંકામાં હજુ પર સંઘર્ષનો સામનો કરી રહ્યાં છે તેમને સંતોષ પહોંચે તે રીતે આ મુદ્દાનું સ્થાયી નિરાકરણ લાવવામાં આવે તેમ અમે ઇચ્છીએ છીએ,' તેમ ખુર્શિદે ઉમેર્યું છે.

શ્રીલંકન સરકાર દ્વારા એલટીટીઇ સામે જે વોર ક્રાઇમ શરૂ કરવામાં આવ્યું તેને લઇને એઆઇએડીએમકે દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તેને લઇને ભારત સરકાર દબાણ હેઠળ આવી ગઇ છે. એઆઇડીએડીએમકે દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારત સરકાર દ્વારા શ્રીલંકામાં તણાવનો સામનો કરી રહેલા તમિળો માટે કંઇ જ યોગ્યતા ભર્યું પગલું ભરવામાં આવ્યું નથી.

English summary
External Affairs Minister Salman Khurshid said the government was committed to bringing justice to Lankan Tamils.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X