Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકારી લોકપાલ જનતાની મજાક છે: કેજરીવાલ

arvind kejriwal
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: આજે કેબિનેટ બેઠકમાં મંજૂર કરવામાં આવેલા લોકપાલ બિલ અંગે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના પૂર્વ કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આ જનતા સાથે કરવામાં આવેલી મજાક છે. આ બિલમાં જે જોગવાઇઓ કરવામાં આવેલી છે તેનાથી ભ્રષ્ટાચાર થંભવાના કોઇ આસાર નથી. કેજરીવાલનું કહેવું છે કે સરકારે ઓગષ્ટ 2011માં જે વચન જનતાને આપ્યા હતા, આ બિલને બનાવવામાં એ વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. એવામાં આ માત્ર એક કાગળનું ડૂચો બનીને રહી જશે.

કેજરીવાલનું કહેવું છે કે આ સરકારી લોકપાલ બિલ એવું હશે જેની પાસે તપાસનો કોઇ અધિકાર નહી હોય. બિલમાં રાજ્યોમાં લોકપાલની નિયુક્તિ, સિટિજન ચાર્ટર, અને નોકરશાહીને લોકપાલ હેઠળ લાવવા માટે કઇપણ નથી કહેવામાં આવ્યું. આ બિલમાં એવું પણ આયોજન છે કે કોઇ ભ્રષ્ટ કર્મચારીની સામે એફઆઇઆર દાખલ કરતા પહેલા તેને કારણ બતાવ નોટિસ મોકલવામાં આવશે.

કેજરીવાલે જણાવ્યું કે સત્ય તો એ છે કે સરકારની કોઇ ઇચ્છા જ ન્હોતી કે મજબૂત લોકપાલ બિલ બને. કારણ કે સરકારને ખબર છે કે જો મજબૂત લોકપાલ બિલ આવી જશે તો તેમના અડધાથી વધારે મંત્રીઓ જેલભેગા થશે.

કેજરીવાલે સરકારને ભ્રષ્ટાચારીઓને સમર્થન કરનાર જણાવ્યા છે. તેમણે જણાવ્યું કે સરકારે સીબીઆઇને સ્વતંત્રતા આપવી જોઇએ જેથી આ ઠીક રીતે કાર્ય કરી શકે. તેમણે પ્રધાનમંત્રી મનમોહનસિંહ અંગે જણાવ્યું છે કે તેમણે મજબૂત લોકપાલ બનાવવો જોઇએ અથવા તો તેઓ માત્ર ઇતિહાસનો એક અંશ બનીને રહી જશે.

જ્યારે સરકારનું કહેવું છે કે આગામી બજેટ સત્રમાં તે આ બિલને રાજ્યસભામાં પસાર કરશે. જાણકારોનું કહેવું છે કે સરકાર આનાથી માત્ર પોતાની જવાબદારી પૂરી કરવા માંગે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X