GSTથી ગ્રાહકોને કઈ રીતે થયો ફાયદો, જાણો
GSTથી ગ્રાહકોને કઈ રીતે થયો ફાયદો, જાણો
નવી દિલ્હીઃ મોદી સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યા બાદ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો પણ હકિકતમાં જીએસટીનું અમલીકરણ થવાના કારણે આવશ્યક ચીજવસ્તુઓ પરના અપ્રત્યક્ષ ટેક્સથી છૂટકારો મેળવી શકાયો છે. ખરેખર, અંતે જીએસટી ગ્રાહકો માટે વરદાન સમાન સાબિત થયો, ખાસ કરીને ભારતમાં રહેતા મધ્યમ વર્ગના લોકો માટે જીએસટી ફળદાયી નિવળ્યો.

ટૂથપેસ્ટ, સાબુ, હેર ઓઈલ, રેઝર, શેમ્પુ, ડીઓડ્રન્ટ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પર ચૂકવવો પડતો ઈનડાયરેક્ટ ટેક્સને જીએસટી થકી 26 ટકા (એક્સાઈઝ+વેટ)થી ઘટાડીને 18 ટકા કરી શકાયો. ઉલ્લેખનીય છે કે ફૂટવેર પરના ટેક્સમાં 50 ટકાનો ઘટાડો કરી શકાયો છે.
MOSPI કન્ઝંપ્શન બાસ્કેટે આપેલા ડેટા મુજબ ફક્ત એફએમસીજી નહીં, મસાલા પરના પરોક્ષ કરમાં પણ 6થી 5 ટકાનો ઘટાડો થયો, ઈડલી-ઢોસા 12 ટકાથી ઘટીને 5 ટકા, રોટલી 12-5 ટકા અને મિનરલ વોટર પરનો કર પણ પણ 27 ટકાથી ઘટીને 18 ટકા થઈ ગયા. મિડલ ક્લાસ માણસ પણ હવે પરિવાર સાથે અર્બન એરિયામાં સહેલાયથી બહાર ડિનર પર જઈ શકે છે, તેમના ખિસ્સા પર હવે પહેલા જેટલો બોજો નથી પડી રહ્યો.
ઉપરાંત નાણામંત્રી અરુણ જેટલીએ પણ 27મી જુલાઈએ પોતાના સોશિયલ મીડિયા બ્લોગમાં કહ્યું હતું કે કટોતી કરેલ બધા જ ટેક્સ સ્લેબ પર નજર નાખીએ તો, છેલ્લા એક વર્ષમાં 384 ચીજવસ્તુઓના કરમાં ઘટાડો થયો હતો, જ્યારે એકપણ પ્રોડક્ટના વેરામાં વધારો નહોતો થયો. આઝાદી પછી ભારતમાં ક્યારેય આટલો ટેક્સ ઘટ્યો જ ન હતો. ઓછા દરે વધુ સંગ્રહ મુશ્કેલ છે.

તહેવારોની સિઝન નજીક છે ત્યારે રેફ્રિઝરેટર, ફ્રીઝર, નાની સાઈઝના ટીવી, વોશિંગ મશીન અને વેક્યુમ ક્લિનર જેવી વસ્તુઓમાં 10 ટકાની કટોતી તેના ઉત્પાદનોની કિંમતમાં ફાયદારૂપી ઘટાડો કરી શકે છે ખાસ કરીને એવા સમયે જ્યારે આવી વસ્તુઓની માગમા સતત વધારો થઈ રહ્યો છે.
GSTએ ગુડ્શ એન્ડ સર્વિસ પર લાદવામાં આવેલ ઈનડાયરેક્ટ ટેક્સ છે. પ્રોડક્શનની દરેક પ્રોસેસમા જીએસટી લાદવામાં આવે છે, જીએસટીને 0 ટકા, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 18 ટકા એમ વિવિધ પાંચ ટેક્સ સ્લેબમાં આવરી લેવામાં આવ્યો છે. જો કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, આલ્કોહોલ અેને વીજળીને જીએસટી હેઠળ આવરવામાં આવ્યા નથી, જે-તે રાજ્ય સરકારો દ્વારા અગાઉની માફક જ આ પ્રોડક્ટ પર ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. પરંતુ મોટાભાગની જરૂરી ચીજવસ્તુઓમાં જીએસટીને કારણે નાગરિકોને રાહત આપવામાં આવી છે.
આ પણ વાંચો- પ્રધાનમંત્રી આરોગ્ય યોજનામાં 10 લાખ લોકોને નોકરી મળશે
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
