માનવ બન્યો દાનવ ! 150 કુતરાને જીવતા દફનાવ્યા
માનવતાને હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકમાં 150 વાંદરાઓને માર્યા બાદ હવે ફરી એક વખત ક્રૂરતાની હદ વટાવી છે. કેટલાક માનવતાના દુશ્મનોએ કથિત રીતે 150 કૂતરાઓને શિવમોગામાં જીવતા દફનાવ્યા છે.
બેંગલુરુ : કર્ણાટકમાંથી માનવતાને હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકમાં 150 વાંદરાઓને માર્યા બાદ હવે ફરી એક વખત ક્રૂરતાની હદ વટાવી દેવામાં આવી છે. કેટલાક માનવતાના દુશ્મનોએ કથિત રીતે 150 રખડતા કૂતરાઓને શિવમોગામાં જીવતા દફનાવ્યા હતા. પોલીસ સૂત્રોએ બુધવારના રોજ આ ઘટના વિશે માહિતી આપી હતી. આ મામલે સ્થાનિક પોલીસે ગ્રામ પંચાયત અધિકારી સામે ગુનો નોંધ્યો છે.


કર્ણાટકમાં ક્રૂરતાની તમામ હદો પાર
માનવતાને અંદરથી હચમચાવી દેનારી આ સમગ્ર ઘટના ભદ્રાવતી નગર પાસે કામદાલાલુ-હોસુર ગ્રામ પંચાયતની હદમાં રંગનાથપુરામાં બની હતી. આ વિસ્તારકર્ણાટકના પાટનગર બેંગલુરુથી લગભગ 270 કિમી દૂર છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. મળતી માહિતી મુજબઅસામાજિક તત્વોએ કથિત રીતે કૂતરાઓને તમ્માડીહલ્લી જંગલ વિસ્તારમાં દફનાવ્યા હતા.

ઘટનાનું કારણ હજૂ અકબંધ
કૂતરાઓના સતત ભસવાના અવાજ સાંભળીને સ્થાનિક લોકોને શંકા ગઈ અને પછી અચાનક અવાજ આવવાનું બંધ થઈ ગયું હતું. સ્થાનિક લોકોએ પશુ અધિકારકાર્યકર્તાઓને પણ જાણ કરી હતી, પરંતુ કાર્યકરોએ સ્થળની મુલાકાત લીધા બાદ જ આ ઘટના પ્રકાશમાં આવી હતી. ભદ્રાવતી ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા આ મામલેતપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ ઘટના પાછળનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.

પૈસા બચાવવા માટે કર્યું ઘૃણાસ્પદ કૃત્ય?
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કોન્ટ્રાક્ટરે કે જેણે ન્યુટરિંગનો કોન્ટ્રાક્ટ લીધો હતો, તેને જણાવ્યું હતું કે, ન્યુટરિંગ એ એક સર્જરી છે, જે કૂતરાઓને પ્રજનન માટેઅસમર્થ બનાવે છે, પરંતુ પૈસા બચાવવા માટે આ પ્રકારનો જઘન્ય અપરાધ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પંચાયતના અધિકારીઓએ આ વખતેકૂતરા પકડનારાઓને મૌખિક સૂચનાઓ આપી હતી. આ અગાઉ કૂતરાઓને ઉપાડીને દૂરસ્થ વિસ્તારોમાં છોડવામાં આવતા હતા. આ વખતે પોલીસને શંકા છે કે, તેમનેકમ્બાડાલાલુ-હોસુર ગ્રામ પંચાયતની હદમાં કૂતરાઓને જીવતા દફનાવી દીધા હતા.

વાંદરાઓના કેસમાં કુલ 7 લોકોની ધરપકડ
આ પહેલા ઓગસ્ટમાં કર્ણાટકના હસન જિલ્લાના એક ગામમાં 38 વાંદરાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ વાંદરાઓને બોરીઓમાં ભરીને જંગલ વિસ્તારમાંલાવવામાં આવી રહ્યા હતા, જે દરમિયાન ગૂંગળામણને કારણે તેમાના કેટલાક વાંદરાઓ મૃત્યુ પામ્યા હતા. કર્ણાટક હાઇકોર્ટે ઘટનાની તાત્કાલિક નોંધ લીધી અને રાજ્યસરકારને દોષિતો સામે પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે.
-
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત











Click it and Unblock the Notifications
