રાહત કામમાં મોડું, ઉત્તરાખંડ સરકારને નોટિસ
દેહરાદૂન, 5 જુલાઇઃ ઉત્તરાખંડમાં સર્જાયેલી તારાજી બાદ રાહત કાર્યમાં મોડું અને આંકડાઓના વિભિન્ન જવાબથી રાજ્ય સરકાર શંકાઓના ઘેરામાં આવી ગઇ છે. બહુગુણા સરકાર પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. સરકારના આ વલણ પર હવે રાજ્ય માનવાધિકાર આયોગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
રાજ્ય માનવાધિકાર આયોગે માત્ર સરકારની રાહત કાર્યપ્રણાલી પર જ પ્રશ્નો ઉઠાવ્યા નથી પરંતુ માનવાધિકાર આયોગના અધ્યક્ષે ત્યાં સુધી કહી દીધું છે કે સરકાર રાહત સામગ્રીના નામે એવી વસ્તુઓ મોકલી રહી છે કે જેની પ્રભાવિત વિસ્તારોમાં જરૂરત જ નથી.
ઉત્તરાખંડ માનવાધિકર આયોહના અધ્યક્ષ નિવૃત જસ્ટિસ વિરેન્દ્ર જૈને બહુગુણા સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે બહુગુણા સરકાર જે આંકડા રજૂ કરી રહી છે તેને લઇને સરકાર પણ સ્પષ્ટ નથી. સરકાર કહી રહી છે કે અમારી પાસે 300 ગામોના આંકડા છે અને પછી કહી રહી છે કે આ આંકડા સ્પષ્ટ નથી. સરકારના વલણ પર આયોગે પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે સરકારના અલગ-અલગ અધિકારી પોત-પોતાની રીતે નિવેદન કરી રહ્યાં છે. તેમના વિરોધાભાસી નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે સરકાર પોતે જ હજુ ભ્રમની સ્થિતિમાં છે.
આયોગે
રાહતના
નામ
પર
મોકલવામાં
આવેલી
સામગ્રી
પર
પણ
બહુગુણા
સરકારને
આડેહાથ
લીધી
છે.
આયોગ
અનુસાર
મોડેથી
જાગેલી
સરકાર
પીડિતોને
એવો
સામાન
મોકલી
રહી
છે,
જેની
તેમને
જરૂરત
જ
નથી.
સરકારના
કામથી
નારાજ
ઉત્તરાખંડ
માનવાધિકાર
આયોગે
રાજ્ય
સરકારને
નોટિસ
પણ
મોકલી
છે.
આયોગની
નોટિસનો
જવાબ
આપવાના
બદલે
સરકાર
અન્યો
પર
જ
આરોપ
લગાવી
રહી
છે.