પત્નીના ચરિત્ર પર શંકા, પતિએ કુહાડીથી હત્યા કરી
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક સનકી પતિએ પોતાની પત્નીની કુહાડીથી હત્યા કરી દીધી. ઘટનાને અંઝામ આપીને આરોપી પતિ ત્યાંથી ભાગી ગયો હતો.
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં એક સનકી પતિએ પોતાની પત્નીની કુહાડીથી હત્યા કરી દીધી. ઘટનાને અંઝામ આપીને આરોપી પતિ ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ ગામના લોકોએ આરોપી પતિને પકડીને પોલીસમાં સોંપી દીધો. પોલીસે મહિલાના શવને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. હત્યા પાછળ પત્નીના ચરિત્ર પર શંકા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: પ્રેમી કપલનું પહેલા ગળું કાપ્યું અને પછી ગોળી મારી

પત્નીના ચરિત્ર પર શંકા
જાણકારી અનુસાર, આ ઘટના શાહજહાંપુરના ખુટારા ચોકી વિસ્તારના પૂર્વી ગડી ગામની છે. અહીં રહેનાર મુકેશ મજૂરી કરીને પોતાની પત્ની અને 6 વર્ષના દીકરીનું ભરણપોષણ કરતો હતો. ગ્રામીણો અનુસાર મુકેશ પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરતો હતો. જયારે મુકેશની પત્ની ખેતરમાં શૌચાલય માટે જતી ત્યારે તેનો પતિ પણ તેની પાછળ જતો હતો. મંગળવારે સવારે પણ પતિ અને પત્ની વચ્ચે આ બાબતે વિવાદ થયો હતો.

ગામના લોકોએ આરોપી મુકેશને પકડીને પોલીસમાં સોંપી દીધો
વિવાદ પછી મુકેશની પત્ની પોતાની નણંદ અને દીકરા સાથે ખેતરમાં શૌચાલય માટે ચાલી ગયી. તેની પાછળ પાછળ તેનો પતિ પણ સાઇકલ લઈને પહોંચ્યો અને એક પછી એક કુહાડી ઘ્વારા ઘા મારીને પોતાની પત્નીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. હત્યાને જોઈને નણંદ મૃતકના દીકરાને લઈને ગામ તરફ ભાગી. ઘટનાને અંઝામ આપીને આરોપી મુકેશ પણ ત્યાંથી ફરાર થઇ ગયો. ઘટના વિશે ગામમાં સૂચના ફેલાઈ તેની સાથે જ ગામના લોકોએ આરોપી મુકેશને પકડીને પોલીસમાં સોંપી દીધો. પોલીસે મહિલાના શવને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. તેની સાથે પોલીસે આ મામલે તપાસ પણ શરુ કરી દીધી છે.

કુહાડીથી હત્યા
એસપી ગ્રામીણ સુભાષ ચંદ્ર શાક્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે પતિએ પત્નીની કુહાડીથી હત્યા કરી નાખી. ગ્રામીણ અને પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. માહિતી મળતા જ કેસ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
