Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગૌહત્યા કરશો તો સમાજથી બહાર કાઢી દઇશું, મસ્જિદમાં થયું એલાન

52 ગામના તુર્કોની મીટિંગમાં મૌલાનાએ કર્યું એલાન કે જો ગૌહત્યા કરી તો તેને સમાજની બહાર નીકાળી દઇશું. જાણો આ અંગે વધુ

સંભલ: તુર્ક સમાજના લોકોએ ગૌહત્યા મામલે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે જે લોકો ગૌહત્યા કરશે તેની સામે કાનૂની કાર્યવાહી તો થશે જ સાથે જ તેને સમાજની પણ બહાર નીકાળી દેવામાં આવશે. આ જાહેરાત 52 ગામના તુર્કોની મીટીંગમાં મૌલાના દ્વારા કરવામાં આવી. અને આમ કરીને આ ગામના લોકોએ ભાયચાાર અને સદ્દભાવનાનું એક સારું ઉદાહરણ પુરું પાડ્યું છે.

maulana

ઉત્તર પ્રદેશના જિલ્લા મદાલા ગાંવમાં 52 ગામના તુર્ક સમાજના લોકોએ મસ્જિદમાં મીટિંગ કરી તમામ મૌલાનાઓની હાજરીમાં આ જાહેરાત કરી હતી. મૌલાનાએ તુર્ક સમાજના લોકોને સંબોધિત કરતા કહ્યું કે મુસ્લિમે ગૌહત્યા બિલકુલ ના કરવી જોઇએ. આપણા ધર્મમાં અન્ય કોઇ ધર્મની ભાવનાને ઠોસ પહોંચાડવાની છૂટ નથી.
સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે જો તેમના સમાજનો કોઇ પણ વ્યક્તિ ગૌહત્યા કરતો પકડાઇ જશે તો તેની સાથે સખત પગલાં સમાજ દ્વારા લેવામાં આવશે. વધુમાં મૌલાનાએ આ બેઠકમાં પીએમના બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનના પણ વખાણ કર્યા. અને બેઠકમાં મૌલાનાનો આ નિર્ણય હાજર તમામ સભ્યોએ સર્વાનુમતે પસાર પણ કર્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X