મોદીને 'માનવ-બોમ્બ'થી ઉડાવવાનો ખતરો વધ્યો
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં જે રીતે વધી રહી છે, તે જ રીતે તેમની પર આતંકવાદી હુમલાનો ખતરો પણ વધતો જઇ રહ્યો છે.
મોદી પર આતંકવાદીઓએ હુમલાના ષડયંત્રને લઇને ગૃહમંત્રાલય પણ ઘણી વખત એલર્ટ જારી કરી ચૂક્યું છે. તેમની સુરક્ષાને લઇને એજન્સીઓન પર દબાણ પડી રહ્યું છે. આવામાં એકવાર ફરી એવો ખુલાસો થયો છે કે મોદી આતંકવાદી અને કટ્ટરપંથીઓના નિશાના પર છે અને તેમને આત્મઘાતી હુમલાખોરો પોતાનો નિશાનો બનાવી શકે છે.
સ્ટૂડેન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સિમીના ધરપકડ કરાયેલા બે આતંકવાદીએ પૂછપરછ દરમિયાન આ જાણકારી આપી કે આતંકવાદી ખાસ કરીને ઇન્ડિયન મુજાહિદ્દીન મોદીને માનવ બોમ્બથી ઉડાવવાના ફિરાકમાં છે.
એક અંગ્રેજી વેબસાઇટમાં છપાયેલા સમાચાર અનુસાર છત્તીસગઢની રાજધાની રાયપુરથી ધરપકડ કરવામાં આવેલ ઉમર સિદ્દીકી અને અઝહરે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઇની પૂછપરછમાં આ વખતની જાણકારી આપી અને ખુલાસો કર્યો કે મોદી પર માનવબોમ્બથી હુમલાનું જોખમ વધી ગયું છે.

ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરના રોજ બિહારની રાજધાની પટણાના ગાંધી મેદાનમાં મોદીની હુંકાર રેલી હતી. આ રેલીમાં આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ છ વિસ્ફોટો કર્યા હતા, જેમાં 6 લોકોના મોત થયા હતા. ત્યારબાદથી તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી







Click it and Unblock the Notifications
