દેવયાની ભારત આવવા માટે રવાના, અમેરિકામાં ચાલશે કેસ
નવી દિલ્હી, 10 જાન્યુઆરી: તમામ કયદાકીય દાવપેચોની વચ્ચે ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડે આખરે અમેરિકાથી ભારત પરત ફરી રહી છે. રાજદ્વારી સંરક્ષણ અનુસાર અમેરિકાએ દેવયાનીને જી-1 વિઝા આપી દીધા છે. વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર ભારતે તેમને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. દેવયાની ન્યૂયોર્કથી ભારત આવવા માટે રવાના થઇ ગઇ છે.
રવાના થયા પહેલા દેવયાનીએ જણાવ્યું કે તેમની પર લાગેલા આરોપ ખોટા છે અને તેઓ નિર્દોષ છે. દેવયાનીએ ભારત સરકાર ખાસ કરીને વિદેશ મંત્રી, ભારતની જનતા અને મીડિયા દ્વારા મજબૂત અને સતત સમર્થન મળવા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ આ સ્વદેશ આવીને આ ઘટનાક્રમ અંગે વાત કરશે અને તેઓ ઇચ્છે છે કે આ ઘટનાથી તેમના બાળકો પર કોઇ અસર ના પડે. તેમના બાળકો હજીએ અમેરિકામાં જ છે.
જોકે ભારતે અમેરિકાના એ અનુરોધને ઠુકરાવી દીધો હતો જેમાં તેમણે દેવયાની ખોબરાગડે પર સંરક્ષણ હટાવવાની માંગ કરી હતી. જો દેવયાની પરથી સંરક્ષણ હટી જતું તો તેમની પર કેસ ચાલી શકતો હતો, પરંતુ ભારત આની માટે તૈયાર થયું નહીં અને હવે દેવયાને દેશ છોડવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?







Click it and Unblock the Notifications
