For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવયાની ભારત આવવા માટે રવાના, અમેરિકામાં ચાલશે કેસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 જાન્યુઆરી: તમામ કયદાકીય દાવપેચોની વચ્ચે ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડે આખરે અમેરિકાથી ભારત પરત ફરી રહી છે. રાજદ્વારી સંરક્ષણ અનુસાર અમેરિકાએ દેવયાનીને જી-1 વિઝા આપી દીધા છે. વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર ભારતે તેમને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. દેવયાની ન્યૂયોર્કથી ભારત આવવા માટે રવાના થઇ ગઇ છે.

રવાના થયા પહેલા દેવયાનીએ જણાવ્યું કે તેમની પર લાગેલા આરોપ ખોટા છે અને તેઓ નિર્દોષ છે. દેવયાનીએ ભારત સરકાર ખાસ કરીને વિદેશ મંત્રી, ભારતની જનતા અને મીડિયા દ્વારા મજબૂત અને સતત સમર્થન મળવા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ આ સ્વદેશ આવીને આ ઘટનાક્રમ અંગે વાત કરશે અને તેઓ ઇચ્છે છે કે આ ઘટનાથી તેમના બાળકો પર કોઇ અસર ના પડે. તેમના બાળકો હજીએ અમેરિકામાં જ છે.

જોકે ભારતે અમેરિકાના એ અનુરોધને ઠુકરાવી દીધો હતો જેમાં તેમણે દેવયાની ખોબરાગડે પર સંરક્ષણ હટાવવાની માંગ કરી હતી. જો દેવયાની પરથી સંરક્ષણ હટી જતું તો તેમની પર કેસ ચાલી શકતો હતો, પરંતુ ભારત આની માટે તૈયાર થયું નહીં અને હવે દેવયાને દેશ છોડવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

devyani khobragade
અમેરિકામાં ભારતીય રાજદૂદ દેવયાની કેસની સુનાવણી કરી રહેલી કોર્ટે તેમની પર વિઝા છેતરપિંડીનો કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી હતી. અમેરિકન કોર્ટે દેવયાની પર વિઝા ફ્રોડની સાથે ખોટા નિવેદન આપવાનું આરોપનામું પણ નક્કી કર્યું હતું. દેવયાની ખોબરાગડેને અમેરિકન ગ્રાંડ જ્યૂરીએ ઔપચારિક રીતે દોષી ગણી છે. ફરિયાદી પક્ષે જણાવ્યું છે કે 39 વર્ષની દેવયાની ખોબરાગડેને પોતાના બચાવની અનુમતિ આપી છે અને અમેરિકન અધિકારીઓએ તેમને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.

English summary
Uttam Khobragade Friday said his daughter, Indian diplomat Devyani Khobragade, is "returning to India with full diplomatic immunity".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X