IRCTCએ ટિકિટ કેંસલ કરવાના નિયમોમાં કર્યો બદવાલ, તમે પણ જાણો
આઇઆરસીટીસીએ અધિકૃત રેલ્વે એજન્ટો દ્વારા બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાના પ્રયાસમાં ઓટીપી આધારિત રિફંડ સિસ્ટમ લાવી છે.
આઇઆરસીટીસીએ અધિકૃત રેલ્વે એજન્ટો દ્વારા બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાના પ્રયાસમાં ઓટીપી આધારિત રિફંડ સિસ્ટમ લાવી છે. આ અંતર્ગત મુસાફરોને ટિકિટ રદ કરવાની સુવિધા મળશે અને આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલા પાસવર્ડનો ઉપયોગ કરીને રિફંડની માહિતી મળશે. એટલે કે, હવે બુકિંગ એજન્ટો રેલ્વે ટિકિટ બુક કરનારા મુસાફરોને ગેરમાર્ગે દોરી શકશે નહીં.
ઓટીપી નંબરથી બુક થશે ટિકિટ
ઓનલાઇન ટિકિટ કેંસલ થવાની સ્થિતિમાં, ગ્રાહકના મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) આવશે, આ ઓટીપી નંબર આપ્યા પછી જ, એજન્ટો ટિકિટ બુક કરાવી શકશે. આનાથી ગ્રાહકોને એ પણ જાણ થઈ શકશે કે જો ટિકિટ રદ કરવામાં આવે તો કેટલા રૂપિયા રિફંડના રૂપમાં પ્રાપ્ત થયા છે. ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) એ જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે આ સિસ્ટમ ફક્ત અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાવેલ ટિકિટ પર લાગુ થશે.
ઓટીપી આપ્યા પછી જ ટિકિટ થશે કેંસલ
કેટલીકવાર એજન્ટો ટિકિટ રિફંડ વિશે મુસાફરોને ગેરમાર્ગે દોરે છે અને આઈઆરસીટીસીનો હવાલો આપીને રદ કરાયેલ ટિકિટોનુ સંપૂર્ણ રિફંડ પરત આપતા નથી. આવી સ્થિતિમાં આઇઆરસીટીસીએ પારદર્શિતા રાખતા ટિકિટ એજન્ટની મનસ્વીતા અટકાવવા આ પગલું ભર્યું છે. આ સુવિધાથી મુસાફરો રિફંડની વાસ્તવિક રકમ જાણી શકશે.
ફક્ત અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાવેલ ટિકિટ પર નિયમો લાગુ પડે છે
આઈઆરસીટીસી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓટીપી આધારિત રિફંડ પ્રક્રિયા મુસાફરોના ફાયદા માટે સિસ્ટમમાં વધુ પારદર્શિતાની ખાતરી કરશે. આ એક ઉપભોક્તા મૈત્રીપૂર્ણ સુવિધા હશે જ્યાં મુસાફરને તેના દ્વારા એજન્ટ દ્વારા રદ કરાયેલ ટિકિટ અથવા સંપૂર્ણ વેઇટિંગ સૂચિની ટિકિટ માટે રિફંડની રકમ વિશેની સાચી માહિતી મળી શકે છે. એક અધિકારીએ કહ્યું કે મુસાફરોએ એટલું કરવાનું છે કે તેઓ ટિકિટ બુક કરતી વખતે પોતાનો મોબાઇલ નંબર આપે. એજ મોબાઇલ નંબર પર મેસેજ સંબંધિત માહિતી મેસેજ દ્વારા આપવામાં આવશે.