ચાલું વર્ષે શરૂ થશે મંગળ પર તિરંગો લહેરાવાનું મિશન
નવી દિલ્હી, 21 ફેબ્રુઆરીઃ અંતરિક્ષ વિજ્ઞાનમાં ઘણી ઉપલબ્ધિઓ હાંસલ કરી ચૂકેલો ભારત ટૂંક સમયમાં મંગળ પર તિંરગો લહેરાવશે. ટૂંક સમયનો અર્થ બે કે ચાર વર્ષ નહીં, પરંતુ ચાલું વર્ષે જ આ કવાયદ હાથ ધરવામાં આવશે. જી હાં, આ વાતની પૃષ્ટિ દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કરી છે.

દેશના અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રના તાજા સમાચાર પર પ્રકાશ નાંખીએ તો ઇસરોમાં અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે આ મહિને 25 ફેબ્રુઆરીએ થનારી રોકેટ પ્રક્ષેપણની તૈયારીને ઝડપી કરી દેવામાં આવી છે. આ રોકેટ સાત ઉપગ્રહોને પોતાની સાથે લઇ જશે. ઉપગ્રહોના પીએસએલવી-સી20 રોકેટ સાથે જોડાયા બાદ તમામ ઉપગ્રહો તથા રોકેટની તમામ તપાસ કરી લેવામાં આવી છે. આ સ્તર પર રોકેટ પરીક્ષણની પ્રક્રિયામાંથી ગુજરે છે. આ રોકેટ 25 ફેબ્રુઆરીએ હરિકોટા રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રથી છોડવામાં આવશે, જેની સાથે જનારા સાત ઉપગ્રહોમાં ભારત-ફ્રાન્સના સહયોગની નિર્મિત ઉપગ્રહ 'સરલ' પણ છે.












Click it and Unblock the Notifications
