દુબઈમાં શેખ નાહયાન બિન મુબારકને મળીને આનંદ થયોઃ રાહુલ ગાંધી
દુબઈમાં શેખ નાહયાન બિન મુબારકને મળીને આનંદ થયોઃ રાહુલ ગાંધી
આબુધાબીઃ બે દિવસના પ્રવાસ પર સંયુક્ત અરબ અમીરાત પહોંચેલ રાહુલ ગાંધીએ શનિવારે શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આ મુલાકાતને સારો અનુભવ ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ લખ્યું, તેમણે અમારું શાનદાર સ્વાગત કર્યું. તેઓ ભારતના સાચા મિત્ર છે. અમે તેમની સાથે સંબંધોને વધુ મજબૂત કરવા માટે કામ કરશું. શેખ નાહયાન બિન મુબારક યૂએઈથી સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાઁધી બે દિવસીય યૂએઈ પ્રવાસ પર ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા. શુક્રવારે દુબઈમાં રાહુલ ગાંધીએ ભારતીય મજૂરો, વિદ્યાર્થીઓ અને પ્રવાસી ભારતીયો સાથે મુલાકાત કરી. શનિવારે રાહુલ ગાંધી અબુધાબી પહોંચ્યા. રાહુલ ગાંધીએ દુબઈમાં કાર્યક્રમ યોજી ભારતીય લોકોને સંબોધિત કરતા કહ્યું કે યૂએઈ અને ભારતના લોકોને એકસાથે લાવનાર મૂલ્ય વિનમ્રતા અને સહનશીલતા છે. વિવિધ વિચારો, ધર્મો અને સમુદાયો માટે સહિષ્ણુતા. મને કહેતા બહુ દુખ થઈ રહ્યું છે કે ઘરે પરત જવા પર આ સાઢા ચાર વર્ષની અસહિષ્ણુતા છે.
જ્યારે ભારતના મજૂરો-કામદારોને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે દુબઈના વિકાસમાં ભારતીયોનું મહત્વનું યોગદાન છે. ભારતના લોકોએ આ શહેર, આ દેશને બનાવવામાં પોતાનો લોહી-પરસેવાો એક કર્યો છે અને ભારતના દરેક હિસ્સાનું નામ અહીં રોશન કર્યું છે. રાહુલ ગાંધીએ ભારતીય સમુદાયના મજૂરોને કહ્યું, મારા દરવાજા, મારા દિલ તમારા માટે ખુલ્લાં છે. તમે દેશ માટે આટલું બધું કરી રહ્યા છો, અમે પણ તમારા માટે કરી શકીએ તે કરીશું.
રાહુલ ગાંધી ગુરુવારે રાત્રે દુબઈ પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવા માટે પણ ઉતાવડા થઈ રહ્યા હતા. રાહુલ ગાંધીનો દુબઈ પ્રવાસનો ઉદ્દેશ્ય ભારતીય મૂળના લોકોને મળવાનો છે.
આ પણ વાંચો- દેશ મજબૂત સરકાર ઈચ્છે છે, ગઠબંધન મજબૂર સરકાર ઈચ્છે છેઃ પીએમ મોદી
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
