જમ્મુ-કાશ્મીરઃ બડગામ અથડામણમાં એક આંતકી ઠાર
સુરક્ષા દળોને એક વિસ્તારમાં આંતકીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જ વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી હતી. આંતકીઓને આવતની જાણ થતાં તેમણે ગોળીબાર શરૂ કર્યો હતો.
જમ્મુ-કાશ્મીર ના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ સાથે સુરક્ષા દળો ની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હોવાના સમાચાર છે. 2-3 આતંકવાદીઓને પોલીસે ઘેરી લીધા હતા. જેમાંથી એક આતંકવાદી પોલીસ દ્વારા ઠાર મરાયો હતો.
ઉપલબ્ધ જાણકારી અનુસાર, સોમવારે રાત્રે આતંકવાદીઓ બે પોલીસવાળાને ઘરે ઘુસી ગયા હતા, જે પછી આ અથડામણ શરૂ થઇ હતી. શોપિયામાં પોલીસના ઘર પર ઓપન ફાયરિંગ કર્યા બાદ આતંકીઓ નાસી છૂટ્યા હતા, જેમને જવાનોએ બડગામમાં ઘેરી લીધા હતા.
અહીં વાંચો - રાજ્ય સરકારે શહીદની મદદ ન કરતાં આખરે કેન્દ્રએ ઝાલ્યો હાથ
સુરક્ષા દળોને એક વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. આતંકવાદીઓને ઝડપી પાડવા માટે તેમણે કાર્યવાહી કરતાં તે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓને આ અંગે જાણ થતાં તેમણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આથી સુરક્ષા દળોદ્વારા પણ જવાબી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. થોડા-થોડા સમયાંતરે હજુ પણ ગોળીબાર ચાલુ છે. કેહવાઇ રહ્યું છે કે, આતંકવાદીઓ એક ઘરમાં છુપાયેલા છે.