જયલલિતાએ NDCની બેઠક અધવચ્ચેથી છોડી

આજે 12મી પંચવર્ષીય યોજનાના આયોજન અંગે ચર્ચા કરવા માટે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઇ છે. દેશના વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આયોજન પંચના વડા મોન્ટેક સિંહ અહલુવાલિયાએ બેઠકના પ્રારંભમાં જણાવી દીધું હતું કે સમય ઓછો હોવાથી મુખ્યમંત્રીઓને પોતાની વાત રજૂ કરવા માટે ઓછો સમય મળશે.
મુખ્યમંત્રીઓને પોતાના મુદ્દાઓ રજૂ કરવા માટે 10 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો. તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા બોલવા ઉભા થયા હતા. 10 મીનિટ થઇ જતા બેલ વાગ્યો હતો. આ વાતથી નારાજ થઇને તેઓ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા.
આ મુદ્દે જયલલિતાએ જણાવ્યું કે "આ અગાઉ પણ હું એનડીસીની બેઠકોમાં ભાગ લેતી આવી છું. પાંચ વર્ષના આયોજન અંગે મુદ્દા રજૂ કરવાના હોય ત્યારે મુખ્યમંત્રીઓને પોતાની વાત રજૂ કરવા 25થી 30 મીનિટનો સમય આપવામાં આવતો હોય છે. આજે અમને માત્ર 10 મીનિટનો સમય આપવામાં આવ્યો. આટલા ઓછા સમયમાં અમે કેવી રીતે રજૂઆત કરી શકીએ. આટલો ઓછો સમય આપવો હોય તો મુખ્યમંત્રીઓને બોલાવ્યા શા માટે?"
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાંથી જયલલિતાના બહાર નીકળી જવાથી તેમના યુપીએ સરકાર સાથેના સંબંધોની સ્થિતિ અને નારાજગી વધારે સ્પષ્ટ બની છે.
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે?




Click it and Unblock the Notifications
