જયલલિતાએ NDCની બેઠક અધવચ્ચેથી છોડી

આજે 12મી પંચવર્ષીય યોજનાના આયોજન અંગે ચર્ચા કરવા માટે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઇ છે. દેશના વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આયોજન પંચના વડા મોન્ટેક સિંહ અહલુવાલિયાએ બેઠકના પ્રારંભમાં જણાવી દીધું હતું કે સમય ઓછો હોવાથી મુખ્યમંત્રીઓને પોતાની વાત રજૂ કરવા માટે ઓછો સમય મળશે.
મુખ્યમંત્રીઓને પોતાના મુદ્દાઓ રજૂ કરવા માટે 10 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો. તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા બોલવા ઉભા થયા હતા. 10 મીનિટ થઇ જતા બેલ વાગ્યો હતો. આ વાતથી નારાજ થઇને તેઓ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા.
આ મુદ્દે જયલલિતાએ જણાવ્યું કે "આ અગાઉ પણ હું એનડીસીની બેઠકોમાં ભાગ લેતી આવી છું. પાંચ વર્ષના આયોજન અંગે મુદ્દા રજૂ કરવાના હોય ત્યારે મુખ્યમંત્રીઓને પોતાની વાત રજૂ કરવા 25થી 30 મીનિટનો સમય આપવામાં આવતો હોય છે. આજે અમને માત્ર 10 મીનિટનો સમય આપવામાં આવ્યો. આટલા ઓછા સમયમાં અમે કેવી રીતે રજૂઆત કરી શકીએ. આટલો ઓછો સમય આપવો હોય તો મુખ્યમંત્રીઓને બોલાવ્યા શા માટે?"
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાંથી જયલલિતાના બહાર નીકળી જવાથી તેમના યુપીએ સરકાર સાથેના સંબંધોની સ્થિતિ અને નારાજગી વધારે સ્પષ્ટ બની છે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત








Click it and Unblock the Notifications
