જેટ એરવેઝને DGCAની મંજુરી મળી, હવે ફરીથી ફ્લાઈટ ઉડાન ભરશે!
ફરી એકવાર જેટ એરવેઝની ફ્લાઈટ ઉડવા માટે તૈયાર છે. શુક્રવારે DGCA એ જેટ એરવેઝને એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) જારી કર્યું છે ત્યારે હવે જેટ એરવેઝની ફ્લાઈટ સત્તાવાર રીતે ઉડાન ભરશે.
નવી દિલ્હી, 20 મે : ફરી એકવાર જેટ એરવેઝની ફ્લાઈટ ઉડવા માટે તૈયાર છે. શુક્રવારે DGCA એ જેટ એરવેઝને એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) જારી કર્યું છે ત્યારે હવે જેટ એરવેઝની ફ્લાઈટ સત્તાવાર રીતે ઉડાન ભરશે. તમને જણાવી દઈએ કે જેટ એરવેઝની ફ્લાઈટ અત્યાર સુધી બંધ હતી, કારણ કે કંપની નાણાકીય સંકટનો સામનો કરી રહી હતી.
જેટ એરવેઝને નવા મેનેજમેન્ટ, નવા ફાઇનાન્સર્સ અને નવા માલિકો મળ્યા છે. આ જોઈને DGCA એ AOC જારી કર્યું છે. હવે કંપની ભારતમાં તેની કોમર્શિયલ કામગીરી ફરી શરૂ કરી શકશે. જેટ એરવેઝ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની આ વર્ષના આગામી ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર 2022)માં કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ કરવા માંગે છે.
જેટ એરવેઝ માટે AOC મેળવવાની પ્રક્રિયા એ એક વ્યાપક નિયમનકારી અને અનુપાલન પ્રક્રિયાનો અંતિમ તબક્કો હતો, જેમાં એરલાઇનની કાર્યકારી તૈયારી માટે પ્રક્રિયાત્મક તપાસની શ્રેણીનો સમાવેશ થતો હતો. આ પ્રક્રિયા 15 મે 2022 થી 17 મે 2022 ની વચ્ચે ઘણી ફ્લાઈટ્સ પર જોવા મળી હતી.
DGCA તરફથી AOC પ્રાપ્ત કર્યા પછી એરલાઇન તરફથી એક નિવેદન આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આજનો દિવસ માત્ર જેટ એરવેઝ માટે જ નહીં, પરંતુ ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ માટે પણ એક નવી સવાર છે. અમે હવે ભારતની સૌથી પ્રિય એરલાઇનને આકાશમાં પાછી લાવીને ઇતિહાસ રચવાના આરે છીએ. અમે માત્ર જેટ એરવેઝની બ્રાન્ડ પાસેથી ઉચ્ચ અપેક્ષાઓ પર ખરા ઉતરીશું એટલુ જ નહીં પરંતુ આજના સમજદાર પ્રવાસી માટે ઘણી બધી રીતે તેને વટાવીશું.
તમને જણાવી દઈએ કે 5 મેના રોજ જેટ એરવેઝે હૈદરાબાદથી દિલ્હી માટે છેલ્લી ફ્લાઇટ લીધી હતી. આ ફ્લાઇટ ત્રણ વર્ષ પછી ઉડી હતી, કારણ કે 2019 માં નાદારીનાં કારણે કંપની બંધ થઈ ગઈ હતી. સત્તાવાર દસ્તાવેજો અનુસાર, જેટ એરવેઝના વર્તમાન પ્રમોટર જાલાન-કોલરોક કન્સોર્ટિયમ છે. અગાઉ તેના માલિક નરેશ ગોયલ હતા. જેટ એરવેઝના વિમાને તેની છેલ્લી ઉડાન 17 એપ્રિલ 2019ના રોજ ભરી હતી.