કાલિંદી એક્સપ્રેસમાં બ્લાસ્ટ, જૈશ-એ-મોહમ્મદની ચિઠ્ઠી મળી
કાલિંદી એક્સપ્રેસમાં બ્લાસ્ટ, જૈશ-એ-મોહમ્મદની ચિઠ્ઠી મળી
નવી દિલ્હીઃ કાનપુર પાસે કાલિંદી એક્સપ્રેસના ટોયલેટમાં થયેલ ધમાકા બાદ એટીએસ ટીમને ત્યાંની પ્લાસ્ટિકની બેગમાંથી એક ચિઠ્ઠી મળી છે. કાનપુર-ભિવાની કાલિંદી એક્સપ્રેસના જનલ કોચના ટોયલેટમાં ઓછી તીવ્રતાનો થયેલ આ ધમાકામાં કોઈ જાનહાનીની સૂચના મળી નથી. સાંજે 7 વાગીને 10 મનિટ પર ટ્રેનના જનરલ કોચના ટોયલેટમાં ધમાકો થયો હતો. ધમાકો ઓછી તીવ્રતાનો હોવાથી યાત્રીઓને ઈજા પહોંચી નથી કે કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોવાના અહેવાલ મળ્યા નથી.
બ્લાસ્ટના તુરંત બાદ ફોરેન્સિક ટીમ અને એટીએસને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા. જ્યારે કાનપુરના એસએસપી આનંદ દેઓલે જણાવ્યું કે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના નામથી લખેલ એક ધમકીભરી ચિઠ્ઠી પણ મળી છે. બ્લાસ્ટ વાળી જગ્યાએ પ્લાસ્ટિક બેગમાં તેમને આ હાથથી લખેલી ચિઠ્ઠી મળી છે, જેમાં આ બ્લાસ્ટને લઈ આખા પ્લાનિંગ વિશે લખવામાં આવ્યું છે.
Kanpur SSP Anant Deo on low-intensity blast in a toilet of general coach of Kanpur-Bhiwani Kalindi Express near Barrajpur station on 20 Feb: A handwritten letter was found in a plastic bag there, listing out plan of today's incident. Prima facie it seems to be an act of mischief. pic.twitter.com/RLrDUFdfHP
— ANI (@ANI) February 20, 2019
આ બ્લાસ્ટની સૂચના બાદ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હજુ ટ્રેન ત્યાં જ ઉભી છે અને ટ્રેનના ડબ્બાઓની સાથોસાથ બ્લાસ્ટવાળી જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો- પુલવામા આતંકી હુમલોઃ ભારતના દોસ્ત રશિયાએ કહ્યુ, મસૂદ અઝહરને બેન કરો