કર્ણાટક: કુમારસ્વામીએ યેદુરપ્પા પર ગંભીર આરોપ લગાવ્યા

કર્ણાટકની રાજનીતિમાં એક નવો ડ્રામા પેદા થયો છે. કર્ણાટકના જળ સંસાધન મંત્રી વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે રવિવારે આરોપ લગાવ્યો હતો

કર્ણાટકની રાજનીતિમાં એક નવો ડ્રામા પેદા થયો છે. કર્ણાટકના જળ સંસાધન મંત્રી વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે રવિવારે આરોપ લગાવ્યો હતો જેનાથી રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. તેમને કહ્યું કે ગઠબંધન સરકાર તોડવા માટે ભાજપનું 'ઓપરેશન કમળ' ચાલી રહ્યું છે.

kumaraswamy

હવે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ભાજપા નેતા બીએસ યેદુરપ્પા પર વિધાયકોને ખરીદવાનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ પાસે પર્યાપ્ત સંખ્યામાં વિધાયકો છે. એટલા માટે અમને ભાજપની જરૂર નથી. કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે રવિવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ત્રણ વિધાયકો મુંબઈની એક હોટલમાં ભાજપના નેતાઓ સાથે રોકાયા હતા.

આ પણ વાંચો: કર્ણાટકનો રાજકીય સંગ્રામઃ ભાજપના 104 ધારાસભ્યોએ ગુરુગ્રામના રિસોર્ટમાં ડેરો જમાવ્યો, 5 કોંગ્રેસી MLA

એવી પણ ખબર આવી હતી કે ત્રણે વિધાયકોમાંથી કોઈનો પણ સંપર્ક નથી થઇ રહ્યો કારણકે તેમનો ફોન સ્વીચ ઓફ બતાવી રહ્યો છે. જયારે કુમારસ્વામીએ આ આરોપને નકારી નાખ્યા છે. તેમને કહ્યું કે અમારી સરકાર કોઈ પણ પ્રકારના ખતરામાં નથી. તેમને કહ્યું કે મને ખબર છે કે ભાજપ કયા નેતાઓ સાથે સંપર્કમાં છે અને તેમને કઈ લાલચ આપવામાં આવી રહી છે. હું બધું સાંભળી લઇશ.

આ પણ વાંચો: કર્ણાટક કોંગ્રેસના 3 ધારાસભ્યો ભાજપ નેતાઓ સાથે હોટલમાઃ ડીકે શિવકુમાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X