તલંગાણાના મુખ્યમત્રી કેસીઆર દશેરાના દિવસે રાષ્ટ્રીય પક્ષની કરશે જાહેરાત
તેલંગાંણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ દશેરાના દિવસે પોતાની રાષ્ટ્રીય પાર્ટીની જાહેરાત કરશે. સૂ્ત્રો દ્વારા મળતી માહિતી અનસુાર, એવુ માનવામાં આવી રહ્યુ છે કે, સીએમ કેસીઆર દશેરાના દિવસે પોતાની રાષ્ટ્રીય પાર્ટીની જાહેરાત કરશ
તેલંગાંણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ દશેરાના દિવસે પોતાની રાષ્ટ્રીય પાર્ટીની જાહેરાત કરશે. સૂ્ત્રો દ્વારા મળતી માહિતી અનસુાર, એવુ માનવામાં આવી રહ્યુ છે કે, સીએમ કેસીઆર દશેરાના દિવસે પોતાની રાષ્ટ્રીય પાર્ટીની જાહેરાત કરશે. ટીઆરએસ પાર્ટીની બેઠકમાં વિજયા દશમીના દિવસે 5 ઓકટોબરના દિવસે હૈદરાબાદના ભવનમાં થશે આની બેઠક. આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
ન્યુઝ એજેન્સી એએનઆઇના રિપોર્ટ અનુસાર સીએમ કેસીઆર હૈદરાબાદની બેઠક બાદ રાષ્ટ્રીય રાજનીતિ પ્રતિ પોતાનો વિચાર વ્યક્ત કરી શકે છે. એ પણ માનવામાં આવી રહ્યુ છે. ટીઆરએસ પાર્ટીના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પાર્ટીનું નામ બદલવા માટે દિલ્હી જેવા માટે રવાના થશે. સૂત્રો અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યુ છે. કેસીઆર. 9 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં એક જનસભાને સંધોન કરશે.

ટીઆરએસ પાસે નેતા શ્રીધર રેડ્ડીએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્ર ના લોકો એક રાષ્ટ્રીય મંજદૂર મંચની તલાશમાં છે. કેમ કે, એનડીએ શાસનના તમામ પાસાઓમાં નિષ્ફળ રહી છે. કેસીઆર રાષ્ટ્રીય મંચ અન રાષ્ટ્રીય સ્તર પર જવાની વાત કરી હતી. તેમણે કહ્યુ કે, ગુજરાત મોડલ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યુ છે.
ટીઆરએસના એક નેતા શ્રીધર રેડીએ જણાવ્યુ હતુ કે, "રાહ જુઓ કે સીએમ કેસીઆર રાષ્ટ્રીય પાર્ટીના નામની જાહેરાત કરશે" બીજી તરફ તેલંગાણા પીસીસી અભિયાન સમિતિના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ મધુ ગૌડ યસ્ખીએ જણાવ્યુ હતુ કે, તેલંગાણાના સીએમ એક રાષ્ટ્રીય પાર્ટી બનાવવાનો કોઇ અર્થ નથી. તેમણે તેલંગાણાના લોકોને દગો દિધો છે. અને હવે રાષ્ટ્રીય લોકોને દગો આપવા માગે છે. તેમની નિષ્ફળતાઓની લીસ્ટ લાંભી છે. તેમના પરિવારના સભ્યો માટે દિલ્હીમાં દારુ ગૌટાળામાથી પૈસા કાઢવાની રણનીતી છે.












Click it and Unblock the Notifications
