બિઝનેસને વિકસવાની તક આપે કેજરીવાલ: નારાયણ મૂર્તિ
નારાયણ મૂર્તિનું કહેવું છે કે આ સમયે ઉદ્યોગોને સરકાર દ્વારા સમર્થન આપવાની જરૂરીયાત છે, અમે એટલું સારું નથી કરી રહ્યા જેટલું થવું જોઇએ. છેલ્લી ત્રિમાસીથી ડિસેમ્બર સુધી અમે પોતાના લક્ષ્યને પામી શક્યા નથી, કમનસીબે દરેક કંપની સાથે આવું થઇ રહ્યું છે.
તેમણે જણાવ્યું કે શહેરી ભારત અને ભારતની અર્થવ્યવસ્થાને લઇને લોકોમાં એક ભ્રમ વ્યાપી ગયો છે, જેને સમજવાની જરૂરીયાત છે. નારાયણમૂર્તિ અનુસાર કેજરીવાલે શાનદાર રીતે કામ કર્યું છે, જેનાથી ખૂબ જ પરિવર્તન આવ્યું છે પરંતુ બિઝનેસને પણ વિકસવાની તક આપવી જોઇએ.
પ્રાઇવેટ કંપનીઓ પ્રત્યે ઉઠાવવામાં આવેલા કેજરીવાલના પગલાને યોગ્ય નથી માનવામાં આવી રહ્યા, કહેવામાં આવે છે દેશની નબળી થઇ રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે સારી નીતિઓના નિર્માણની જરૂરીયાત છે, જ્યારે કેજરીવાલનું બિઝનેસ ક્ષેત્રો પ્રત્યેનું કડક વલણ ખતરનાખ સાબિત થઇ શકે છે.