કેરળ પુરમાં વાયુસેનાની મદદ લેવામાં આવી, 102 કરોડનું બિલ મોકલ્યું
કેન્દ્ર સરકારે ગયા વર્ષે કેરળમાં આવેલા પુરમાં રાહત કામ માટે ભારતીય વાયુસેનાના વિમાનો અને હેલીકૉપટરો ઉપયોગ કરવા માટે કેરળ સરકારને 102 કરોડ રૂપિયાનું બિલ મોકલી આપ્યું છે.
કેન્દ્ર સરકારે ગયા વર્ષે કેરળમાં આવેલા પુરમાં રાહત કામ માટે ભારતીય વાયુસેનાના વિમાનો અને હેલીકૉપટરો ઉપયોગ કરવા માટે કેરળ સરકારને 102 કરોડ રૂપિયાનું બિલ મોકલી આપ્યું છે. સોમવારે રાજ્યસભામાં તેની જાણકારી આપવામાં આવી. ગયા વર્ષે કેરળમાં પુરે ભારે તબાહી મચાવી હતી. તે સમયે ભારતીય વાયુસેનાએ વિમાનો અને હેલીકૉપટરો ઘ્વારા પુરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને ખાદ્યસામગ્રી પહોંચાડવાનું કામ કર્યું હતું.

ઉપલા ગૃહમાં પ્રશ્નનો લેખિત જવાબમાં રાજ્ય પ્રધાન સુભાષ ભામરે ઘ્વારા જણાવ્યું હતું કે કેરળના પૂર દરમિયાન 3787 લોકોને એરલિફ્ટ કરાવ્યા હતા, એરફોર્સ વિમાનો 517 ફ્લાઇટ્સ, 1,350 ટન માલ વહન વિમાનો ઉડાન ભરી જ્યારે હેલિકોપ્ટરોએ 634 ફ્લાઇટ્સ ભરી. 584 લોકો હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને 247 ટન માલ પરિવહન માટે ઉપયોગમાં લેવાતા હતા.
આ પણ વાંચો: year end 2018: કેરળ પૂરથી લઈ દિલ્લી પ્રદૂષણ સુધી, આ કુદરતી આફતોમાં ઘેરાયેલો રહ્યો દેશ
કેરળમાં પૂર પીડિતોની રાહત માટે ભારતીય વાયુસેનાના વિમાનો અને હેલીકૉપટરના ઉપયોગ માટે લગભગ 102 કરોડ રૂપિયાનું બિલ કેરળ સરકારને મોકલવામાં આવ્યું છે. રાજ્યમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સેના અને નૌસેના પણ કેરળમાં પૂર રાહતમાં થયેલા ખર્ચનો હિસાબ તૈયાર કરી રહી છે, જે કેરળ સરકારને મોકલવામાં આવશે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કેરળમાં પુરે ભારે તબાહી મચાવી હતી.
આ પણ વાંચો: કેન્સર પીડિત વૃદ્ધે મિસાલ કાયમ કરી, કેરળના પૂરગ્રસ્તોને આપી આર્થિક સહાય
કેરળમાં આવેલા વિનાશકારી પુરે સેંકડો લોકોનો જીવ લઇ લીધો જયારે હજારોની સંખ્યામાં લોકો બેઘર બન્યા હતા. 10 લાખ કરતા પણ વધારે લોકોને રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા. તે સમયે આર્મી, નેવી અને એરફોર્સે મોરચો સાંભળ્યો અને હજારો લોકોનો જીવ બચાવ્યો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
