For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની સજા, 25 લાખનો દંડ

By Super
|
Google Oneindia Gujarati News

રાંચી, 3 ઓક્ટોબરઃ 1994-95માં કરવામાં આવેલા ઘાસ-ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને સૌથી વધારે પાંચ વર્ષની સજા અને 25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. લાલુ પ્રસાદ યાદવ સિવાય આરજેડી સાંસદ જગદીશ શર્માને ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને ચાર વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને રાંચીની સીબીઆઇ કોર્ટે સોમવારે તેમને ચારા કૌભાંડમાં દોષી ઠરાવ્યા હતા. આ કેસમાં લાલુ સહિત કુલ 45 લોકોને દોષી ઠરાવવામાં આવ્યા હતા, જેમાંથી સાતને એ જ દિવસે સજા ફટકારી દેવામાં આવી હતી, જ્યારે બાકીના લોકોને આજે સજા સંભળાવવામાં આવી છે. લાલુ દોષી ઠર્યા બાદથી જ રાંચીની બિરસા મુંડા જેલમાં કેદ છે.

lalu-prasad-yadav
સીબીઆઇના વિશેષ લોક અભિયોજક બીએમપી સિન્હાએ કહ્યું હતું કે, અમે દોષીઓ માટે કડકમાં કડક સજાની માંગ કરી છે, કારણ કે આરોપ કોઇપણ પ્રકારની શંકા વગર સાબિત થયા છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે ખાસ જજ પીકે સિંહે લાલુ અને અન્ય 44 લોકોને ચાઇબાસા કોષાગારમાંથી ગેરકાયદે રીતે 37.70 કરોડ રૂપિયા કાઢવાના મામલામાં દોષી ગણાવ્યા હતા. આ રકમ 1994થી 1995 દરમિયાન કાઢવામાં આવી હતી.

English summary
Lalu Prasad sentenced to five years jail in fodder scam case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X