બિહારમાં મતદાન પહેલા બ્લાસ્ટ : 2 CRPF જવાનોના મોત
મુંગેર, બિહાર, 10 એપ્રિલ : આજે વહેલી સવારે બિહારની જુમાઇ સંસદીય બેઠક પર વોટિંગ કરવા જઇ રહેલા સીઆરપીએફના જવાનો પર માઓવાદીઓએ વિસ્ફોટકો દ્વારા કરેલા હુમલામાં બે જવાનોના મોત થયા છે. આ હુમલામાં અન્ય 7 જવાનો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર સીઆરપીએફના જવાનો સવારે જમુઇ લોકસભા મતવિસ્તારમાં મતદાન કરાવવા માટે જઇ રહ્યા હતા. તેમનું વાહન ભીમબાંધ જંગલમાં પહોંચ્યું કે તરત જ માઓવાદીઓએ વિસ્ફોટક સુરંગમાં વિસ્ફોટ કર્યો. જેમાં બે જવાનો ઘટનાસ્થળે જ માર્યા ગયા અને 7 જવાનો ઘાયલ થયા છે.

મુંગેરના પોલીસ અધિક્ષકનું કહેવું છે કે માર્યા ગયેલા જવાનોમાં રવિન્દ્ર કુમાર બિહારથી અને સોને ગૌરેય કર્ણાટકથી આવ્યા હતા. તમામ ઘાયલોને ઇલાજ માટે ભાગલપુર મોકલવામાં આવ્યા છે. હવે તેમની સ્થિતિ ખતરાથી બહાર છે.
બીજી તરફ નક્સલવાદીઓએ લખીસરાય જિલ્લાના કજરા પોલીસ મથક વિસ્તારમાં પોલીસની પૂર્વ શિબિર પર હુમલો કર્યો છે. જેમાં કોઇને નુકસાન પહોંચ્યું નથી. જો કે આ સ્થળેથી પોલીસે ત્રણ બોમ્બ જપ્ત કર્યા છે. જેને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
