કેસરની ખેતીના માધ્યમથી સૈફ્રન ક્રાંતિ લાવવી છે: નરેન્દ્ર મોદી
લેહ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જમ્મૂ કાશ્મીરના પ્રવાસ હેઠળ મંગળવારે લગભગ સાડા નવ વાગે લેહ પહોંચ્યા અને કારગિલના પોતાના પ્રથમ પ્રવાસ દરમિયાન તે ભૂમિદળ અને વાયુસેનાના જવાનો સાથે મુલાકાત કરવા ઉપરાંત બે હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન અક્રશે અને 349 કિલોમીટર લાંબી લેહ-શ્રીનગર ટ્રાંસમિશન લાઇનની આધારશિલા રાખશે.
વડાપ્રધાનમંત્રીનું પદ સંભાળ્યા બાદ બીજી વાર જમ્મૂ કાશ્મીરના પ્રવાસ પર પહોંચેલા મોદીની આ યાત્રા દરમિયાન લેહ અને કારગિલની રોજગાર સર્જન જેવી સ્થાનિક માંગો પર ધ્યાન આપવા તથા ચીન અને પાકિસ્તાનથી સાથે ક્રમશ: લેહથી માનસરોવર સુધી માર્ગ શરૂ કરવા તથા કારગિલ સ્કાર્દૂ માર્ગ ફરીથી ખોલવાનો મુદ્દો ઉઠાવવાનું આશ્વાસન આપે તેવી સંભાવના છે.
ઉદઘાટન બાદ વડાપ્રધાન લેહમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યાં છે. લાઇવ અપડેટ-
મોદી લદ્દાખના રંગમાં રંગાયા
મોદી આજે સવારે લેહના પોલો ગ્રાઉડમાં પહોંચ્યા અને જનસભાને સંબોધિત કરી. આ પહેલાં નરેન્દ્ર મોદીએ લેહમાં નિમો-બાજગો હાઇડ્રો પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું અને લેહ-શ્રીનગર ટ્રાંસમિશન લાઇનની આધારશિલા પણ રાખી. વિશેષ વાત એ રહી કે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખનો પારંપારિક પોશાક પણ પહેર્યો.
મોદી પહોંચ્યા લેહ
સોલાર એનર્જી માટે ભારત સરકારે પોતાના બજેટમાં લેહ લદ્દાખને પણ રાખ્યું છે.
|
મોદી પહોંચ્યા લેહ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જમ્મૂ કાશ્મીરના પ્રવાસ હેઠળ મંગળવારે લગભગ સાડા નવ વાગે લેહ પહોંચ્યા
|
મોદી પહોંચ્યા લેહ
કારગિલના પોતાના પ્રથમ પ્રવાસ દરમિયાન તે ભૂમિદળ અને વાયુસેનાના જવાનો સાથે મુલાકાત કરવા ઉપરાંત બે હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન અક્રશે અને 349 કિલોમીટર લાંબી લેહ-શ્રીનગર ટ્રાંસમિશન લાઇનની આધારશિલા રાખશે.
|
મોદી પહોંચ્યા લેહ
વડાપ્રધાનમંત્રીનું પદ સંભાળ્યા બાદ બીજી વાર જમ્મૂ કાશ્મીરના પ્રવાસ પર પહોંચેલા મોદી
જમ્મૂ-કાશ્મીરની શક્તિથી પણ પરિચિત છું
લેહના પોલો ગ્રાઉંડમાં જનસભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને જમ્મૂ કાશ્મીરમાં ભાજપ કાર્યકર્તા તરીકે પણ કાર્ય કરવાનું સૌભાગ્ય મળ્યું છે. હું અહીંના જીવન અને કઠિનાઇઓથી પરિચિત છું. મોટી વાત એ છે કે હું અહીંની (જમ્મૂ-કાશ્મીર)ની શક્તિથી પણ પરિચિત છું.
જમ્મૂ કાશ્મીરને ઉર્જાવાન પ્રદેશ બનાવીશું
મને જમ્મૂ કાશ્મીરમાં પણ કામ કરવાની તક મળી. લેહ-લદ્દાખથી મને ખૂબ પ્રેમ મળ્યો છે. આ વિસ્તારના વિકાસ માટે દરેક સંભવ પ્રયત્ન કરીશ. જમ્મૂ કાશ્મીરને ઉર્જાવાન પ્રદેશ બનાવીશું. ક્યારે કોઇ વડાપ્રધાન આ ધરતી પર ઘણા વર્ષો સુધી આવતા ન હતા. પરંતુ આ ધરતી પર એક મહિનામાં બે વખત આવ્યો છું.
લેહ લદ્દાખમાં પ્રકાશ, પર્યાવરણ અને પર્યટનની તાકાત છે
વડાપ્રધાને કહ્યું હતું કે લેહ લદ્દાખમાં પ્રકાશ, પર્યાવરણ અને પર્યટનની તાકાત છે. આ વિસ્તાર હવે પ્રકાશિત થનાર છે. હવે તમે ઉધારી પર જીવશો નહી. લેહમાં સોલર પાવરની અપાર સંભાવના છે. સામાન્ય માણસના જીવનમાં પરિવર્તનની અહીં ઘણી સંભાવનાઓ છે.
સરકાર ટૂરિઝમના વિકાસને લઇને પ્રતિબદ્ધ
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર અહીં ટૂરિઝમના વિકાસને લઇને પ્રતિબદ્ધ છે. હિમાલયન રાજ્યોના વિકાસમાં હવે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અહીં કેસરની ખેતીના માધ્યમથી ખેડૂતોને મદદ આપવામાં આવશે. જમ્મૂ-કાશ્મીરમાં કેસર ક્રાંતિ લાવવી છે. પ્રાકૃતિક સંપદાના અધ્યન માટે સંસ્થાન બનાવવામાં આવશે. ઉન ઉદ્યોગના આધુનિકરણની યોજના બનાવવામાં આવશે. ઉની કારીગરોના જીવનમાં પરિવર્તન લાવવામાં આવશે.
60 કરોડ રૂપિયાનું દેવું માફ
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીરના 60 કરોડ રૂપિયાના ખર્ચને માફ કરીશું. જમ્મૂ કાશીર માટે 8000 કરોડ રૂપિયા વધુ ખર્ચ કરીશું. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના સાથે મળશે. અહીંયા દરેક વ્યક્તિના જીવનમાં પ્રકાશ ઇચ્છીએ છીએ. લદ્દાખ સૌર ઉર્જાનું કેન્દ્ર બનશે.
દેશ ભષ્ટ્રાચારથી પરેશાન છે
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણો દેશ ભષ્ટ્રાચારથી પરેશાન છે. અમે ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ પુરી તાકાત સાથે લડીશું. દેશની પાસે દર્શન અને સામર્થ્યની કોઇ કમી નથી. દેશમાં રૂપિયાની કોઇ કમી નથી.
- મને ખબર છે કે ઘણા વર્ષોથી આપણો દેશ ભ્રષ્ટાચારના કારણે પરેશાન છે. દેશને રૂપિયાની કમી નથી. દેશની જનતા ગુસ્સામાં છે.
- ભારત સરકાર જમ્મૂ કાશ્મીરનું 60 કરોડનું દેવું માફ કરે છે.
- અમે અહીં દરેક વ્યક્તિના જીવનમાં રોશની લાવવા માંગીએ છીએ, અહીંના યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ.
- આપણા જમ્મૂ કાશ્મીરમાં કેસરની ખેતીના માધ્યમથી સેફ્રાન રિવૉલૂશન લાવવું છે.
- જે સપનું અટલ બિહારીએ જોયું હતું તેને અમે સાકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.
- તમારા ત્યાગ અને તપસ્યાને વિશેષ રીતે નમન કરું છું. તમારા સામર્થ્યનું હું ગૌરવ કરું છું.
- સોલાર એનર્જી માટે ભારત સરકારે પોતાના બજેટમાં લેહ લદ્દાખને પણ રાખ્યું છે.
- સોલાર એનર્જી માટે ભારત સરકારે પોતાના બજેટમાં લેહ લદ્દાખને પણ રાખ્યું છે.
- હવે તમે ઉધારની વિજળી પર જીવશો નહી.
- તે પર્યાવરણના સંકટમાંથી મુક્તિનો આ પર્વ છે, આ પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ થઇ રહ્યું છે.
- અહીં એક એવો વિસ્તાર છે જ્યાં પ્રકાશ પર્યાવરણ અને પર્યટન, આ ત્રણેય તાકાત છે જે ફક્ત જમ્મૂ કાશ્મીર જ નહી ભારતની ભલાઇ માટે પણ કામ આવી શકે છે.
- હું અહીં જીવન અને કઠિણાઇઓથી પરિચિત છું. હું અહીંયાની શક્તિથી પણ પરિચિત છું.