જય શ્રી રામના નારાને લઈ મમતા બેનરજીએ ભાજપને ઘેર્યું
જય શ્રી રામના નારાને લઈ મમતા બેનરજીએ ભાજપને ઘેર્યું
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર ફી એકવાર તેજ પ્રહાર કર્યો છે. મમતા બેનરજીએ કહ્યું કે તમે ભાજપના લોકો જય શ્રી રામના નારા લગાવો છો, પરંતુ તમે લોકો રામનું એક મંદિર નથી બનાવ્યું. ચૂંટણીના સમયે રામ ચંદ્ર તુમ્હારી પાર્ટીના એજન્ટ બની જાય ચે. તમે લોકો એમ કહો છો કે રામચંદ્ર મારા ચૂંટણી એજન્ટ છે. તમે લોકો જય શ્રી રામ કહે છે અને લોકોને જય શ્રી રામના નારા લગાવવા માટે કહો છો.

જણાવી દઈએ કે અગાઉ મમતા બેનરજી એ સમયે ચૂંટણી રેલીને સંબોધિત કરવા જઈ રહ્યાં હતાં, તે દરમિયાન ભાજપના કેટલક કાર્યકર્તા જય શ્રી રામનો નારો લગાવી રહ્યા હતા. આ દરમિયાન મમતા બેનરજીએ પોતાની ગોડિઓના કાફલાને રોક્યો અને આ લોકોને ખરાખોટી સંભળાવા લાગ્યાં. તેમણે આ લોકોને કહ્યું કે હવે કેમ ભાગી ગયા, હવે લગાવો જય શ્રી રામના નારા. આ પૂરી ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો.
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપ પોતાની પૂરી તાકાત લગાવી રહ્યું છે. તમામ પાર્ટીના દિગ્ગજ નેતા સતત અહીં રેલીઓ કરી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ અહીં પર પોતાની તાબડતોડ રોલીઓ કરી રહ્યા છે, જ્યારે પીએમ મોદી પણ અહીં રેલીઓ કરતાં મમતા બેનરજી પર હુમલો બોલી રહ્યા છે. મમતા બેનરજી અને પીએમ મોદી વચ્ચે ચૂંટણી રેલીઓમાં નિવેદનબાજી જોર પર છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામ 23મી મેના રોજ ઘોષિત કરવામાં આવશે.
આ પણ વાંચો- યૌન શોષણ કેસમાં સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ












Click it and Unblock the Notifications
