પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની SPG સુરક્ષા હટી
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવવામાં આવશે અને હવે તેમની પાસે ફક્ત ઝેડપ્લસ સુરક્ષા કવર હશે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની એસપીજી સુરક્ષા હટાવવામાં આવશે અને હવે તેમની પાસે ફક્ત ઝેડપ્લસ સુરક્ષા કવર હશે. ગૃહ મંત્રાલયે હવે તેમને કેન્દ્રીય સુરક્ષા દળનું સુરક્ષા કવર આપવાનો નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે આ સુરક્ષા દેશના મોટા નેતાઓને આપવામાં આવી છે, આમાં પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધીનો સમાવેશ થાય છે.
આ લોકોની પણ સુરક્ષા ઘટી હતી
અગાઉ, ગૃહ મંત્રાલયે લાલુ પ્રસાદ યાદવ સહિતના ઘણા મોટા નેતાઓના સુરક્ષા કવરની સમીક્ષા કરીને સુરક્ષા ઓછી કરી હતી, તેમાં આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત બસપાના સાંસદ સતીષચંદ્ર મિશ્રા, યુપી ભાજપના નેતા સંગીત સોમ, ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રૂડી પણ છે. યુપી સરકારના મંત્રી સુરેશ રાણા અને એલજેપીના સાંસદ ચિરાગ પાસવાન અને પૂર્વ સાંસદ પપ્પુ યાદવની સુરક્ષા પણ ઓછી કરી દેવામાં આવી હતી.
સુરક્ષા આપવામાં આવે છે
ભારતમાં, મોટા નેતાઓ અને અધિકારીઓને સલામતી માટે સુરક્ષા આપવામાં આવે છે, ધમકીઓને ધ્યાનમાં રાખીને, સરકાર ઝેડ પ્લસ, ઝેડ, વાય અથવા એક્સ કેટેગરીને સુરક્ષા આપવાનો નિર્ણય કરે છે, આવા રક્ષણ મેળવનારાઓમાં ખેલાડીઓ અને અભિનેતાઓ પણ શામેલ છે.
શુ છે ઝેડપ્લસ સુરક્ષા કેટેગરી
ઝેડ પ્લસ કેટેગરીમાં સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે, 10 એસપીજી અને એનએસજી કમાન્ડો છે અને બાકીના પોલીસ છે. સુરક્ષાના પ્રથમ વર્તુળમાં એનએસજી કમાન્ડોનો સમાવેશ થાય છે, જ્યારે બીજા સ્તરમાં આઈટીબીપી અને સીઆરપીએફ ઉપરાંત એસપીજી અધિકારીઓનો સમાવેશ થાય છે. જવાનો સુરક્ષા પૂરી પાડે છે, ઝેડ પ્લસ કેટેગરીના રક્ષણ હેઠળ એસપીજી કમાન્ડો પ્રધાનમંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રીઓને સુરક્ષા કવર પ્રદાન કરે છે.
આ પણ વાંચો: નક્સલ પ્રભાવિત 10 રાજ્યોના સીએમ સાથે અમિત શાહની મહત્વની બેઠક