માન સરકારે કહ્યું - ક્યારેય કાપ્યું જ નથી શહિદ ભગત સિંહના ઘરનું વીજ કનેક્શન
પંજાબમાં એક દિવસ પહેલા એવા સમાચાર સમે આવ્યો હતો કે, પંજાબ સરકારે વીજ બીલ ન ભરવાના કારણે ખટકર કલાં સ્થિત શહિદ ભગત સિંહના ઐતિહાસિક ઘરનું વીજ કનેક્શન કાપી નાંખ્યું હતું. આ સમાચારે ચર્ચા જગાવી હતી.
ખટકર કલાં : પંજાબમાં એક દિવસ પહેલા એવા સમાચાર સમે આવ્યો હતો કે, પંજાબ સરકારે વીજ બીલ ન ભરવાના કારણે ખટકર કલાં સ્થિત શહિદ ભગત સિંહના ઐતિહાસિક ઘરનું વીજ કનેક્શન કાપી નાંખ્યું હતું. આ સમાચારે ચર્ચા જગાવી હતી. જે બાદ પંજાબ સરકારે આ સમાચાર અંગે પ્રતિક્રિયા આપી હતી.

પંજાબ સરકારે આપ્યો રદિયો
પંજાબના માહિતી અને જનસંપર્ક વિભાગ વતી આજે સાંજે જણાવવામાં આવ્યું હતું કે, ખટકર કલાં ખાતે શહીદ ભગત સિંહના પૈતૃક ઘરનાવીજ કનેક્શનને લઈને મીડિયાના અહેવાલોમાં કોઈ સત્ય નથી. શહીદ ભગત સિંહ સંબંધિત અહેવાલો પર, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનેનકારી કાઢ્યા અને સ્પષ્ટ કર્યું કે, કોઈ બિલ બાકી નથી.
માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના ઉર્જામંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, ખટકર કલાંમાં શહીદ ભગત સિંહના પૈતૃક ઘરનું વીજળી કનેક્શન ક્યારેય કાપવામાં આવ્યું જ નથી.

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, કહ્યું - બિલ અમે ભરીશું
આ અગાઉ કોંગ્રેસના નેતાઓ તરફથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પંજાબમાં AAP સરકારે ભગત સિંહ પાર્કનું વીજળી કનેક્શન કાપીનાખ્યું છે અને ત્યાં 1.80 લાખનું વીજળીનું બિલ બાકી છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમરેન્દ્ર રાજા વાડિંગે AAP નેતાઓને નકલી ક્રાંતિકારીગણાવ્યા હતા. અમરેન્દ્ર રાજા વાડિંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ખટકર કલાંમાં બનેલા પાર્કમાં પ્રતિમા સ્થાપિત કરવાની વાત કરતા હતા.
જેમાં 1 લાખ 60 હજાર કર્મચારીઓના પગાર અને બીલ આપવામાં આવ્યા ન હતા. જેના કારણે પાર્કનું વીજ કનેક્શન કપાઈ ગયું હતું.કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, કનેક્શન કાપવાની શું જરૂર હતી, અમે બિલ ભરીશું.
|
'કોઇ બિલ પેન્ડિંગ નથી, સરકારે કનેક્શન પણ કાપ્યું નથી'
આ સમગ્ર વિવાદ અંગે AAP સરકારે સ્પષ્ટતા કરી કે, ન તો શહીદ ભગતસિંહના પૈતૃક ઘરનું વીજળીનું કનેક્શન કાપવામાં આવ્યું છે કે, નતો કોઇ પ્રકારનું વીજળીનું બિલ બાકી છે.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
