કોંગ્રેસે જાહેર કરેલો ઓડિયો કલીપ બિલકુલ નકલી: મનોહર પર્રિકર
કોંગ્રેસ ઘ્વારા જાહેર કરવામાં આવેલા ઓડિયો કલીપને ગોવા સીએમ અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે ખોટો અને નકલી ગણાવ્યો છે.
કોંગ્રેસ ઘ્વારા જાહેર કરવામાં આવેલા ઓડિયો કલીપને ગોવા સીએમ અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પર્રિકરે ખોટો અને નકલી ગણાવ્યો છે. પર્રિકરે ટવિટ કરીને કહ્યું કે કેબિનેટ અને બીજી કોઈ પણ મિટિંગમાં આવી કોઈ વાતચીત નથી થઇ. તેમને આગળ કહ્યું કે રાફેલ પર સુપ્રીમકોર્ટમાં જૂઠ પકડાઈ જવાને કારણે કોંગ્રેસ ખોટા પ્રયાસ કરી રહી છે. આ ઓડિયો ક્લિપમાં જે મંત્રી વિશ્વેશ્વર રાણેનો અવાઝ હોવાની વાત કહેવામાં આવી રહી છે, તેમને પણ આ ઓડિયો ક્લિપને ખોટી ગણાવી છે. રાણે ઘ્વારા આખા મામલે જાંચ કરવા માટે સીએમને લખ્યું છે.

બુધવારે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા ઘ્વારા એક ઓડિયો જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં ગોવા સરકારમાં મંત્રી વિશ્વેશ્વર રાણેનો અવાઝ હોવાનો દાવો તેમના તરફથી કરવામાં આવ્યો હતો. તેમાં મનોહર પાર્રિકરના બેડરૂમમાં રાફેલના કેટલાક રાઝ સંતાડનાર ફાઈલો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે થોડા દિવસ પહેલા જ ગોવાની કેબિનેટ બેઠકમાં રાફેલ મુદ્દે જોરદાર હંગામો થયો હતો, જેમાં મનોહર પર્રિકરે કહ્યું હતું કે કોઈ તેમનું કઈ નહીં કરી શકે કારણકે બધી ફાઈલો તેમની પાસે છે.
આ પણ વાંચો: અમે હજી પણ કહી રહ્યા છીએ, રાફેલ ડીલમાં કૌભાંડ થયુંઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ ઘ્વારા બુધવારે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસ નેતાઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે દેશને તેના વિશે ખબર પડવી જોઈએ કે આખરે પૂર્વ રક્ષામંત્રી પાસે રાફેલ સાથે જોડાયેલી એવી કઈ જાણકારી છે, જેથી ભાજપના મોટા નેતાઓ અને સરકાર પણ તેનાથી ગભરાઈ રહી છે.
આ પણ વાંચો: રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપવી ગંભીર મામલોઃ કપિલ સિબ્બલ












Click it and Unblock the Notifications
