રોમિયોની ખેર નહી, હવે દિલ્હીની બસોમાં હશે બોડીગાર્ડ
દિલ્હીની ડીટીસી અને ક્લસ્ટર બસોમાં 13000 બોડીગાર્ડ તહેનાત કરવામાં આવશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે 6000 બસ બોડીગાર્ડની નિમણૂકના એક કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી.
દિલ્હીની ડીટીસી અને ક્લસ્ટર બસોમાં 13000 બોડીગાર્ડ તહેનાત કરવામાં આવશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે 6000 બસ બોડીગાર્ડની નિમણૂકના એક કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે અત્યાર સુધીમાં 3400 બોડીગાર્ડ લ્હીની બસોમાં તૈનાત હતી પરંતુ હવે તેમની સંખ્યા સીધી 13,000 થઈ રહી છે.

કેજરીવાલે કહ્યું હતું કે, મહિલા સુરક્ષા માટે દિલ્હીની ડીટીસી અને ક્લસ્ટર બસોમાં સાંજે બોડીગાર્ડ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ સામાન્ય લોકો અને મીડિયાએ માંગ કરી છે કે માત્ર સાંજે જ કેમ, મહિલા સુરક્ષા માટે દિવસ દરમિયાન પણ બોડીગાર્ડ ગોઠવવામાં આવે. તેથી હવે અમે માર્શલ્સની સંખ્યા વધારીને 13,000 કરવાનો નિર્ણય કર્યો છે.
આ સમય દરમિયાન કેજરીવાલે નવી નિયુક્ત માર્શલને કહ્યું કે, 'જો કોઈ વ્યક્તિ બસમાં મહિલા સાથે કંઇક ખોટું કરે છે, તો તમે તેને રોકવા માટે ગમે તે કરો. બસની અંદર બેઠેલી સ્ત્રીને સમજવું જોઇએ કે તે બસમાં બેસીને સંપૂર્ણ સલામત છે અને તેનો બચાવ કરવા માટે તેનો ભાઈ કે બહેન બસમાં હાજર છે.
આ સિવાય મંગળવારે ભાઇ બીજની તમામ બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી શરૂ થવા જઈ રહી છે. હવે મહિલાઓ ડીટીસી અને ક્લસ્ટર બસોમાં મફત મુસાફરી કરી શકશે. દિલ્હી સરકારના વાહન વ્યવહાર પ્રધાન કૈલાસ ગેહલોતે જણાવ્યું હતું કે મંગળવારથી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરી શરૂ થશે. આ માટે મહિલાઓને મફત ટિકિટ મળશે.
આ પણ વાંચો: અલ બગદાદીના મોતના 24 કલાકની અંદર જ ISને મળ્યો નવો લીડર
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
