પટનામાં નરેન્દ્ર મોદીએ એક કાંકરે બે પક્ષી માર્યા

પટનામાં એરપોર્ટ પર ભાજપના કાર્યકરો અને નરેન્દ્ર મોદીના સમર્થકોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું હતું. ભાજપના કાર્યકરોએ જારદાર સૂત્રોચ્ચાર કર્યા. જેમાં કાર્યકરોએ નરેન્દ્ર મોદીને ભાવિ પીએમ બનાવવાની માગણી કરી હતી. આ દ્વારા મોદીએ પોતાની લોકચાહનાનો પરચો આપ્યો હતો અને પીએમ પદ માટેની તેમની યોગ્યતા કેટલી પ્રબળ છે તે દર્શાવ્યું હતું.
બીજી તરફ એનડીએના સાથી પક્ષ જેડીયુના અગ્રણી નેતા અને બિહારના મુખ્યમંત્રી તથા તેમના કટ્ટર વિરોધી નીતિશ કુમારને પણ જોરદાર ઝટકો આપ્યો હતો. તેઓનો બિહારમાં પ્રવેશ અને લોકપ્રિયતાને કારણે નીતિશ ઝાંખા પડી જશે તેવો આડકતરો સંકેત આપ્યો હતો.
પોતાની શ્રધ્ધાંજલિ મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ સ્વર્ગીય કૈલાસપતિ મિશ્ર વિશે જણાવ્યું કે "ભાજપની વિકાસ યાત્રામાં કેટલાંક પાયાના પથ્થર હતા તેમાંથી એક કૈલાસપતિ મિશ્રા હતા. અમારા જેવા લાખો કાર્યકરો માટે તેમનુ જીવન પ્રેરણારૂપ હતું. મારું સદભાગ્ય રહ્યું તે મિશ્રએ ગુજરાતના રાજ્યપાલ બનીને દેશને સંવેધાનિક સંસ્થાઓની ગરિમા કેવી રીતે વધે તેનું ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે સેતુની ભૂમિકા કેવી હોઇ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું. તેમના આત્માને પરમાત્મા ચીર શાંતિ પ્રદાન કરે તે માટે પ્રાર્થના કરું છું."
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
