દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ 'આયુષ્માન ભારત'નું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું
દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ 'આયુષ્માન ભારત'નું PM મોદીએ ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દુનિયાની સૌથી મોટા ગવર્નમેન્ટ ફંડેડ હેલ્થકેર પ્રોગ્રામ 'આયુષ્માન ભારત' લૉન્ચ કરી છે જેના લાભાર્થીઓ અંદાજીત 50 કરોડ ભારતીયો છે. હવે આ યોજના અંતર્ગત દેશભરના તમામ નાગરિકોને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ગવર્નર લાલજી ટંડન સાથે આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદ પણ હાજર રહ્યા હતા.

લૉન્ચ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાનને લોકો દ્વારા 'મોદીકેર' સહિતના નામ આપવામાં આવી રહ્યાં છે પણ તેમના માટે ગરીબોની સેવા કરવાનો આ મોકો છે. વધુમાં તેમણે ઉમેર્યું કે વિશ્વમાં એકેય દેશ પાસે આયુષ્માન ભારત જેવી સ્કીમ નથી. આયુષ્માન ભારત સ્કીમના ઉદ્ઘાટન વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સ્કીમ દ્વારા 50 કરોડથી વધુ ભારતીયોને લાભ આપવામાં આવશે. કહ્યું કે 'મને પૂરો વિશ્વાસ છે કે આગામી દિવસોમાં મેડિકલ ફિલ્ડમાં કામ કરતા લોકો આજે શરૂ કરવામાં આવેલ આ યોજનાના આધારે નવી હેલ્થ સ્કીમ લઈને આવશે.'
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ છે, જેના લાભાર્થીઓની સંખ્યા યૂએસ, કેનેડા અને મેક્સિકો કરતા પણ વધુ છે. જણાવી દઈએ કે સ્વતંત્ર દિવસની સ્પીચ દરમિયાન લાલ કિલ્લેથી પીએમ મોદીએ આ સ્કીમ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. ઝારખંડના કેપિટલ રાંચીથી પીએમ મોદીએ સ્કીમની શરૂઆત કરી.
આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય આર્થિક પછાત પરિવારોને 5 લાખથી 10 કરોડ રૂપિયા સુધીનું કવર પૂરું પાડી પીએમ મોદી સુલભ અને સસ્તું હેલ્થકેર બનાવવાનો છે. રવિવારે લૉન્ચ થયા બાદ 31 રાજ્યો સહિતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ સ્કીમ લાગુ કરવામાં આવશે. નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે કહ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના દિવસે એટલે કે 25મી સપ્ટેમ્બરથી આ સ્કીમ કાર્યરત કરવામાં આવશે.
આ પણ વાંચો- શહીદની પત્નીએ જોઈન કરી આર્મી, બન્યાં લેફ્ટનન્ટ
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ










Click it and Unblock the Notifications
