અયોધ્યા જશે નરેન્દ્ર મોદી, વિવાદિત સ્થળ પર પૂજા કરશે!
અયોધ્યા, 18 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ અઠવાડિયે અયોધ્યા જઇ શકે છે અને વિવાદિત સ્થળ પર પૂજા પણ કરી શકે છે. નરેન્દ્ર મોદીના આ પગલાંને એક મોટા રાજકીય ઘટનાક્રમ તરીકે જોવામાં આવે છે.
વિશ્વ હિંદૂ પરિષદના ઉત્તર પ્રદેશના પ્રવક્તા શરદ વર્માએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ માટે વિહિપ નેતા અશોક સિંઘલ, પ્રવિણ તોગડિયા, ગોરખપુરથી સાંસદ યોગી આદિત્ય નાથ અને યોગગુરૂ બાબા રામદેવ મંગળવારે અયોધ્યા પહોંચશે.
શરદ શર્માએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી બુધવાર અથવા શુક્રવારે અયોધ્યાની યાત્રાએ જઇ શકે છે. તે રામ મંદિરમાં પણ જશે. તેમને જણાવ્યું હતું કે વિહિપના 1990ના દાયકામાં રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર હિંદૂ સંતોની બેઠક બોલાવવામાં આવી છે.

વિહિપ નેતાએ કહ્યું હતું કે અયોધ્યાની ધરતીથી નરેન્દ્ર મોદી તેમની પાર્ટીના લોકો અને મતદારોને સંદેશ આગામી ચૂંટણી માટે મહત્વપૂર્ણ હશે. નરેન્દ્ર મોદી અયોધ્યામાં અનેક સંતોને મળશે જેમાં રામ જન્મભૂમિ ન્યાસ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલ દાસ પણ સમાવેશ થાય છે. અયોધ્યામાં વિવાધિત માળખાના વિધ્વંસ બાદ નરેન્દ્ર મોદીની આ પહેલી યાત્રા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 1998માં લાલકૃષ્ણ અડવાણી સાથે અયોધ્યા આવ્યા હતા, પરંતુ તે મંદિરમાં ગયા ન હતા. વિહિપ નેતાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું અયોધ્યા જવું એ વાતનો સંકેત છે કે હિંદુત્વવાદી તાકતો સામાન્ય ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેમના નામ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યાં છે. એ વાતના સંકેત છે કે ગત લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર મુદ્દા પર ભાર ન મૂકનાર ભાજપા આ વિષયને હવે ગંભીરતાથી લેશે.
-
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી












Click it and Unblock the Notifications
