'મોદી લાવો દેશ બચાવો'ના નારાથી ગુંજી ઉઠ્યો કુંભનો મેળો
અલ્હાબાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેમ્પમાં વિહિપની ધર્મ સંસદની બેઠક શરૂ થઇ ગઇ છે. બેઠક શરૂ થઇ ત્યારથી કેમ્પની બહાર મોદી સમર્થકો મોટી માત્રામાં એકઠા થઇ ગયા છે, તેઓ મોદીને સમર્થન કરવા માટે એકઠા થયા છે અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે.
મોદીને સમર્થન કરવા માટે એકઠા થયેલા લોકોનું કહેવું છે કે દેશને એક યુવા નેતાની જરૂર છે, જે દેશને સાચી દિશામાં લઇ જાય, તેઓ દેશના એક યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે અને આપણા દેશને તેના જેવા નેતાની જરૂર છે, તેથી એનડીએ દ્વારા તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે ધોષિત કરવામાં આવવા જોઇએ.
નોંધનીય છે કે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અંગે પ્રશ્ન પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. તેમને એમ પણ કહ્યું હતું કે ભાજપ, સંઘ અને વિહિપ કોઇપણ પ્રકારની હિંસા કરતું નથી.