For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરજકુંડમાં સોનિયા પર નરેન્દ્ર મોદીએ કર્યા આકરા પ્રહારો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra modi
સૂરજકુંડ, 29 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પર આજે હલ્લો બોલાવતાં કહ્યું હતું કે કોલસાની ફાળવણીમાં કૌંભાડ અને રીટેલ સેક્ટરમાં વિદેશી રોકાણના મુદ્દે સરકારે જવાબ આપવો પડશે. ભારતીય જનતા પાર્ટીની ત્રણ દિવસીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકના સમાપન બાદ આયોજીત કરવામાં આવેલી વિશાળ રેલીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક વિદેશી પત્રિકામાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી અહમદ પટેલની ભલામણ દ્રારા સરકારે કોલસા બ્લોક્સની ફાળવણી કરી હતી. ત્યારબાદ તેને પાછી ખેંચવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે સરકારે આ કેસ સાથે સંકળાયેલા બધા પ્રશ્નોના જવાબ આપવા પડશે. મોદીએ આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી અમેરિકાથી પરત ફર્યાના બીજા દિવસે સીધા વિદેશી રોકાણ અંગેનો નિર્ણય લીધો હતો. સરકારે તેનો જવાબ આપવો પડશે.

English summary
Gujarat Chief Minister Narendra Modi on Friday for the first time attacked UPA chairperson Sonia Gandhi in connection with the coal blocks allocation scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X