ગરીબોની થાળીમાંથી ભોજન છીનવી લેનાર છે ફૂડ સિક્યોરિટી બિલ: મોદી
નવી દિલ્હી, 13 ઓગષ્ટ: ખાદ્ય સુરક્ષા બિલને લઇને હવે નરેન્દ્ર મોદીએ યૂપીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય સુરક્ષા બિલને ગરીબ વિરોધી ગણાવતાં કહ્યું હતું કે યૂપીએ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા ફૂડ સિક્યોરિટી બિલને ગરીબો માટે નુકસાનકારક છે. આ યોજના ગરીબો સુધી અનાજ પહોંચાડનારી નથી પરંતુ તેમની થાળીમાંથી અન્ન છીનવી લેનાર છે.
તેમને કહ્યું હતું કે અત્યારે અંત્યોદય યોજના હેઠળ પાંચ સભ્યોવાળા દરેક ગરીબ પરિવારને મહિને 35 કિલો અનાજ મળે છે. ફૂડ સિક્યોરિટી બિલ હેઠળ તે પરિવારને દર મહિને માત્ર 25 કિલો અનાજ મળશે. એટલે દરેક ગરીબ પરિવારને દર મહિને મળનાર અનાજમાં 10 કિલોનો કાપ થવાનો છે.

તેમને સમાચાર ચેનલ પર પ્રસારિત પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ફૂડ સિક્યોરિટી બિલથી સામાન્ય લોકો પર નાણાંકીય બોજો વધવાનો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ એમપણ કહ્યું હતું કે ફૂડ સિક્યોરિટી બિલ પોષ્ટિકતાની દ્રષ્ટિએ યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો સરકાર ખરેખર ગરીબોનું ભલું કરવા માંગતી હોય તો આ બિલ પર સંસદમાં ચર્ચા થવી જોઇએ અને સર્વસંમતિ બાદ આ કાયદો લાગૂ કરવો જોઇએ.
ભાજપા તરફથી પાર્ટી પ્રવક્તા શાહનવાજ હુસૈને પણ આ કાયદા પર ચર્ચા કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસનો દાવો છે કે ખાદ્ય સુરક્ષા બિલ લાગૂ થયા બાદ દેશના 81 કરોડ લોકોને ફાયદો પહોંચશે અને ગરીબ લોકોને 1 રૂપિયામાં કિલો અનાજ, 2 રૂપિયામાં કિલો ઘઉં અને 3 રૂપિયામાં કિલો ચોખા મળશે પરંતુ આ કાયદાની કેટલીક વસ્તુઓ સાથે વિરોધી પક્ષ સહમત નથી. જો કે આ મુદ્દે ઝઘડો ચાલી રહ્યો છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી






Click it and Unblock the Notifications
