ગુજરાત ચૂંટણી : મોહન ભાગવત સાથે મોદીની મુલાકાત

આરએસએસના સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી આ બેઠકમાં ચૂંટણી મુદ્દે વિસ્તારથી ચર્ચા કરશે. આ ઉપરાંત ગયા સપ્તાહે સુરતમાં સંજય જોશીએ લીધેલી મુલાતાક અને તેના કારણે શરૂ થયેલી ચર્ચાઓ સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરશે. ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સામનો કરવા જઇ રહેલા નરેન્દ્ર મોદી સંઘના નેતાઓ સાથે મુલાકાત કરી બપોર સુધી પાછા ફરશે.
ગુજરાતના મુખ્યમંત્રી મોહન ભાગવતને એવા સમયે મળી રહ્યાં છે કે જ્યારે ભાજપના સાંસદ રામ જેઠમલાણીએ અઠવાડિયા પહેલાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા જોઇએ.












Click it and Unblock the Notifications
