મુંબઇના નેવલ ડોકયાર્ડમાં નૌસેના સબમરિનમાં આગ; અનેક ગુમ
મુંબઇ, 14 ઓગસ્ટ : દક્ષિણ મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ગઈ મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકો ગુમ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, જહાજમાં કોઈક સ્ફોટક પદાર્થને કારણે ધડાકો થયો હતો અને પછી આગ પણ લાગી હતી.
નેવલ ડોકયાર્ડના લાયન ગેટ અને સીતા ગેટ વચ્ચે સમુદ્રમાં લાંગરેલી નૌસેનાની સબમરિન ‘સિંધુ રક્ષક'માં ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટના 12 ફાયર એન્જિન્સ સાથે ફાયરમેનો ત્યાં દોડી ગયા હતા. તેમણે વહેલી સવારે લગભગ 3 વાગ્યે આગને કાબૂમાં લાવી દીધી હતી.

ફાયર બ્રિગેડે આસપાસમાં બીજા જહાજો સુધી ફેલાતા રોકી હતી. તેમ છતાં સબમરિનના 18 અધિકારીઓ સહિત 18 જેટલા અન્ય જવાનો સપડાઈ ગયા હોવાનો ભય સેવાય છે. કેટલાક જવાનો બચવા માટે દરિયામાં કૂદી ગયા હતા. હજી સુધી કોઈ જાનહાનિનો અહેવાલ નથી. સબમરિન પર લાગેલી આગનો ધૂમાડો દક્ષિણ મુંબઈના અનેક ભાગોમાંથી પણ જોઈ શકાતો હતો.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા








Click it and Unblock the Notifications
