મારા બીજા ખુલાસાથી અરવિંદ કેજરીવાલનો અંત શરૂ થશે : કપિલ મિશ્રા
કપિલ મિશ્રા રવિવારે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એક મોટો ખુલાસો કરશે. જાણો આ અંગે વિગતવાર.
દિલ્હીના ભૂતપૂર્વ જળ પ્રધાન કપિલ મિશ્રા હાલ અનશન પર બેઠા છે. તેની સ્થિતિ હાલ નાજુક છે. અને ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. તેમ છતાં કપિલ મિશ્રાએ તેમનું અનશન ચાલુ રાખ્યું છે. આ તમામની વચ્ચે કપિલે કહ્યું છે કે રવિવારે તે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપ નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ અન્ય એક મોટો ખુલાસો કરવાના છે. જે બાદ તેમનું કહેવું છે કે લોકોનો અરવિંદ કેજરીવાલ પરથી વિશ્વાસ ઉઠી જશે. નોંધનીય છે કે કપિલને દિલ્હી સરકારના મંત્રીમંડળમાંથી નીકાળી દેવામાં આવ્યા છે. શુક્રવારે જ દિલ્હીના આ ભૂતપૂર્વ મંત્રી રાજઘાટ ગયા હતા અને તેમણે ત્યાંથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ભષ્ટ્રાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા.

તે પછી બુધવારે તે અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતર્યા. વધુમાં તેમણે આમ આદમી પાર્ટીના પાંચ નેતાઓને વિદેશ પ્રવાસ પર મોકલવામાં આવ્યા છે તેની જાણકારી પણ માંગી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે હું ખુબ જ એકલો અનુભવું છું. અને માટે જ રાજઘાટ આવ્યો છું. કાલે હનુમાન મંદિર જઇશ. અને રવિવારે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ અન્ય નવા ખુલાસા કરીશ જેના પછી દિલ્હી જનતાનો આપ પાર્ટી પરથી વિશ્વાસ જતો રહેશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કેટલાક નેતા પણ શનિવારે કપિલ મિશ્રાની વિરુદ્ધ અનશન પર બેઠા છે.
{promotion-urls}
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
