For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આસારામ પાસેથી લીધું બ્રહ્મચર્યનું વ્રત, નહી માણું સેક્સ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 ઓક્ટોબર: મધ્યપ્રદેશના ભોપાલમાં મહિલા પોલીસ સ્ટેશનમાં એક અજીબ મામલાથી બધા કાઉન્સલર આશ્વર્યમાં પડી ગયા છે. અહીં ફરિયાદ લઇને આવેલી એક મહિલાએ ફરિયાદ કરી છે કે લગ્નના દોઢ વર્ષ બાદ પણ તેમનું દામ્પત્ય જીવન શરૂ થઇ શક્યું નથી.

ફરિયાદ મુજબ આસારામ બાપૂની સામે બ્રહ્મચર્ય વ્રતથી દંપત્તિનના લગ્ન સંકટમાં પડી ગયા છે. મળતી માહિતી મુજબ બેરાગઢ નિવાસી મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલાં સાઉદી અરબમાં રહેનાર એનઆરઆઇ સાથે થયા હતા. બંને કોમ્યુટર એન્જિનિયર છે. આ એક અરેન્જ મેરેજ હતા. ફરિયાદ અનુસાર મહિલાનો પતિ હંમેશા દૂર-દૂર રહેતો હતો. આસારામના ફોટા સમક્ષ મોટાભાગનો સમય વિતાવવતો હતો.

દામ્પત્ય જીવનની વાત આવતાં પતિએ આસારામના ફોટાની સામે પત્ની લાવીને ઉભી કરી દિધી. કહ્યું કે આ મારા ભગવાન છે. તુ પણ આમનું સ્મરણ કર. મોક્ષ મળશે. આપણે સાથે વૈકુંઠ જઇશ. આસારામ બાપૂની સામે બ્રહ્મચર્ય વ્રતના કારણે હું તારી સાથે શારિરીક સંબંધ બાંધી શકતો નથી.

કાઉન્સલરના કહેવા મુજબ મનોજની કાઉન્સલિંગ થઇ ગઇ છે. બંને પરિવારના લોકોને સમજાવવાની અસર થઇ છે. પતિએ થોડો સમય માંગ્યો છે. થોડા સમય બાદ બંનેની ફરીથી કાઉન્સલિંગ કરવામાં આવશે.

English summary
A disciple’s brahmacharya (celibacy) vow under Asaram Bapu has led to his marital discord. Wife of the NRI man has filed a complaint against her husband in the Women police station in Bhopal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X