અમે નહીં ભાજપે વિશ્વાસઘાત કર્યો છે: નિતિશ કુમાર

તેમને પટનામાં એક પત્રકાર પરિષદમાં સોમવારે કહ્યું હતું કે બહારના લોકોની દખલગીરીથી મુશ્કેલીઓ ઉભી થઇ રહી હતી માટે જેડીયૂએ આ ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો. તેમને કહ્યું હતું કે ગઠબંધન મજબૂરીમાં થતું નથી અને અમે ગઠબંધન તોડવાનો નિર્ણય લેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.
નિતિશ કુમારે કહ્યું હતું કે ભાજપમાં અટલ બિહારી વાજપેય-લાલકૃષ્ણ અડવાનો દૌર સમાપ્ત થઇ ગયો છે. અમે નવા દોર સાથે સામંજસ્ય સ્થાપિત ન કરી શકીએ. તેમને કહ્યું હતું કે ભાજપમાં ઘરડાં નેતાઓ સન્માન આપવામાં નથી આવતું જ્યારે અમારા ત્યાં આવું નથી. નિતિશ કુમારે કહ્યું હતું કે ભાજપે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને વાતચીતના દરવાજા તેમને બંધ કરી દિધા. નિતિશ કુમારે ભાજપાના આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું કે એનડીએથી છૂટા પડવાનો નિર્ણય ઉતાવળે લેવામાં આવ્યો નથી. આ નિર્ણય સારી રીતે વિચાર-વિમર્શ કર્યા બાદ યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપાના નેતૃત્વવાળા એનડીએને ઝટકો આપતાં જેડીયૂએ નરેન્દ્ર મોદીને ભાજપાની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના વિરૂદ્ધમાં ભાજપાની સાથે ગઠબંધન તોડી દિધું અને આ પ્રમાણે રાષ્ટ્રીય રાજકારણમાં 17 વર્ષ જૂના મજબૂત ગઠબંધનમાં તિરાડ પડી ગઇ. બિહારમાં આઠ વર્ષ જૂની ગઠબંધન સરકારના નેતૃત્વ કરી રહેલ જેડીયૂએ રાજ્ય મંત્રીમંડળમાંથી ભાજપાના 11 મંત્રીઓને હટાવી દિધા છે અને નવી પરિસ્થિતીમાં 19 જૂનના રોજ વિધાનસભાના વિશેષ સત્રમાં વિશ્વાસ મત માટે પ્રસ્તાવ રાખવાનો નિર્ણય કર્યો છે.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા










Click it and Unblock the Notifications
