નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના 7મી વાર લેશે શપથ, જાણો ક્યારે ક્યારે બન્યા CM
નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વાર શપથ લેવાના છે. આવો જાણીએ નીતિશ કુમાર બિહારના સીએમ ક્યારે ક્યારે બન્યા?
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020માં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન(NDA) 125 સીટો સાથે પૂર્ણ બહુમત સાથે જીતી ગયુ છે. આ જીત સાથે નીતિશ કુમાર ઈતિહાસ રચવાના છે. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે સાતમી વાર શપથ લેવાના છે. નીતિશ કુમાર ભલે 2005માં બિહારના મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ આ પહેલા તે 2000માં પણ બિહારના સીએમ પદના શપથ લઈ ચૂક્યા હતા. જો કે સપ્તાહમાં જ તેમની સરકાર બહુમત સાબિત ન કરી શકવાને કારણે પડી ગઈ હતી. આવો જાણીએ નીતિશ કુમાર બિહારના સીએમ ક્યારે ક્યારે બન્યા?

2000માં સાત દિવસ માટે બન્યા સીએમ
1 - નીતિશ કુમાર 3 માર્ચ 2000માં મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ આ વખતે નીતિશ કુમાર માત્ર 7 દિવસ માટે સીએમ બન્યા હતા. બહુમત ના મળવાના કારણે તેમની સરકાર પડી ગઈ હતી.
2 - નીતિશ કુમાર બીજી વાર મુખ્યમંત્રી 24 નવેમ્બર 2005માં બન્યા. આ વખતે તેમણે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવી.
3 - ત્રીજી વાર નીતિશ કુમારે 26 નવેમ્બર 2010માં મુખ્યમંત્રી પદના શપથ લીધા.
4 - વર્ષ 2014માં લોકસભા ચૂંટણી હાર્યા બાદ નીતિશ કુમારે ફરીથી સીએમ પદથી રાજીનામુ આપ્યુ હતુ. એ વખતે તેમનો આ નૈતિક નિર્ણય માનવામાં આવ્યો હતો. નીતિશે જીતનરામ માંઝીને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ ચોથી વાર નીતિશ કુમાર 22 ફેબ્રુઆરી 2015માં સીએમ બન્યા હતા.

સાતમી વાર સીએમ પદના શપથ લેશે
5 - નીતિશ કુમારે 5મી વાર 20 નવેમ્બર 2015માં બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ ચૂંટણીમાં નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવે એક સાથે ચૂંટણી લડી હતી.
6 - બે વર્ષ બાદ નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીથી અલગ થઈ ગયા અને ભાજપ સાથે હાથ મિલાવી લીધો. ત્યારબાદ 27 જુલાઈ 2017માં નીતિશ કુમારે છઠ્ઠી વાર સીએમ પદના શપથ લીધા.
7 - જો નીતિશ કુમાર બિહારના આવતા મુખ્યમંત્રી બન્યા તો તે સાતમી વાર સીએમ પદના શપથ લેશે. જો કે એનડીએમાં શામેલ ભાજપે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે બિહારમાં સીએમનો ચહેરો નીતિશ કુમાર જ હશે.

બિહારમાં NDAને પૂર્ણ બહુમત, જીતી 125 સીટો
બિહાર વિધાનસભાની 243 સીટોમાંથી NDA 125 સીટો પર જીત મેળવી છે. મહાગઠબંધને 110 સીટો જીતી છે. એનડીએમાં શામેલ ભાજપ 74 સીટો, જેડીયુ 43, વિકાસશીલ ઈંસાન પાર્ટીએ 4 સીટો પર અને હિંદુસ્તાની અવામ મોરચાએ 4 સીટો પર જીત મેળવી છે. મહાગઠબંધનમાં શામેલ આરજેડીએ 76 સીટો, કોંગ્રેસ 19, ભાકપા માલે 12 સીટો અને વામ 16 સીટો પર જીત મેળવી છે. બિહારમાં ચૂંટણીમાં એઆઈએમઆઈએમ 5 સીટો, લોજપા અને બસપા એક-એક સીટ જીતી છે. એક સીટ પર અપક્ષ ઉમેદવાર જીતવામાં સફળ રહ્યુ છે.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
Middle East Conflict: ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી, ફોટો-વીડિયો લેવા પર પ્રતિબંધ











Click it and Unblock the Notifications
