તમિળોના મતે યુપીએમાં પીએમ પદ માટે કોઈ લાયક નથી
આ
સર્વેમાં
એવો
પ્રશ્ન
કરવામાં
આવ્યો
હતો
કે
વડાપ્રધાન
પદ
માટે
યુપીએના
કયા
ઉમેદવાર
તમને
યોગ્ય
લાગે
છે?
એના
જવાબમાં
45
ટકાથી
વધુ
લોકોનું
એવું
કહેવું
હતું
કે
નવ
મુરતિયામાંથી
એક
પણ
પીએમ
પદને
લાયક
નથી.
આ
સર્વેક્ષણમાં
36
કલાકમાં
કુલ
20
હજાર
68
નાગરિકોનો
અભિપ્રાય
લેવામાં
આવ્યો.
જોકે,
9
હજાર
156
એટલે
કે
14.8
ટકા
નાગરિકોનું
માનવું
હતુ
કે
દેશમાં
યુપીએ
જો
સત્તા
ઉપર
આવે,
તો
રાહુલ
ગાંધી
વડાપ્રધાન
પદ
માટે
સૌપ્રથમ
પસંદ
હશે.
આ
સર્વેમાં
વર્તમાન
વડાપ્રધાન
ડૉ.
મનમોહન
સિંહ
અને
યુપીએ
પ્રમુખ
સોનિયા
ગાંધી
ક્રમશઃ
પાંચમા
અને
છઠા
ક્રમે
આવે
છે.
જોકે પ્રિયંકા આ બંને કરતા બહેતર છે. મનમોહન સિંહને 875 (4.4 ટકા) અને સોનિયા ગાંધીને 597 (3 ટકા) લોકોએ ટેકો આપ્યો. તેમાં સૌથી વધુ વોટ 14.8 ટકા રાહુલ ગાંધીને મળ્યાં. 2 હજાર 973 નાગરિકોએ જણાવ્યું કે યુપીએના પીએમ પદના ઉમેદવાર તરીકે રાહુલ સૌથી બેસ્ટ છે. આ સર્વેમાં બીજા ક્રમે રહ્યા તામિળનાડુનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. કરુણાનિધિ. તેમની ઉપર 2 હજાર 388 એટલે કે 11.9 ટકા નાગરિકોએ પસંદગી ઉતારી હતી. તેવી જ રીતે 2 હજાર 165 (10.8 ટકા) વોટ સાથે પી. ચિદમ્બરમ ત્રીજા ક્રમે રહ્યાં.