1 જૂનથી દેશભરમાં લાગૂ થશે વન નેશન, વન રાશન કાર્ડ સ્કીમ, જાણો શું થશે ફાયદા

1 જૂનથી દેશભરમાં લાગૂ થશે વન નેશન, વન રાશન કાર્ડ સ્કીમ, જાણો શું થશે ફાયદા

નવી દિલ્હીઃ 1 જૂનથી દેશભરમાં વન નેશન વન રાશન કાર્ડની સ્કીમ શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને આની ઘોષણા કરતા જાણકારી આપી છે અને કહ્યું કે દેશમાં 1 જૂનથી વન નેશન વન રાશન કાર્ડ યોજના શરૂ થઈ જશે. આ સ્કીમ અંતર્ગત દેશભરમાં ગ્રાહકોને એક જ રાશન કાર્ડ આપવામાં આવશે, જેનો ઉપયોગ તેઓ ગમે ત્યાંથી કરી શકે છે, દેશના કોઈપણ ભાગમાં આ રાશન કાર્ડનો ઉપયોગ કરી રાશન લઈ શકે છે.

one nation one ration card yojana

શું છે વન નેશન વન રાશનકાર્ડના ફાયદા

રામવિલાસ પાસવાને જણાવ્યું કે વન નેશન વન રાશન કાર્ડ સ્કીમની મદદથી ભ્રષ્ટાચાર રોકવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે 1 જૂનથી દેશભર માટે એક જ રાશન કાર્ડ હશે, જેની મદદથી કોઈપણ રાજ્યના રાશન કાર્ડધારક કોઈપણ અન્ય રાજ્યમાં રાશકનની દુકાનેથી સસ્તી કિંમતો ચોખા અને ઘઉ ખરીદી શકશે. તેમણે કહ્યું કે સરકારને ઉમ્મીદ છે કે આનાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે.

જ્યારે જે મજૂર કે ગરીબ વર્ગના લોકો રોજગારની તલાશમાં બીજા રાજ્યોમાં ચાલ્યા જાય છે તેમને આસાનીથી બીજી જગ્યાએ સસ્તી કિંમતો રાશન મળી શકશે. તેઓ સરકાર દ્વારા આપવામાં આવી રહેલ સબ્સિડી દેશભરમાં ગમે ત્યાંથી લાભ ઉઠાવી શકે છે. આ બદલાવથી એકથી વધુ કાર્ડ રાખવાની સંભાવના પર પણ પૂર્ણ વિરામ લાગી જશે.

ઉલ્લેખનીય છે કે સરકારે 4 રાજ્યોમાં આના માટે પાયલટ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાત, મારાષ્ટ્ર વચ્ચે કાર્ડ પોર્ટેબિલિટીની સુવિધા આપવામાં આવી હતી. મળેલ સફળતા બાદ આને દેશભરમાં લાગૂ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો સુરતમાં 10 માળના ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડની 40થી વધુ ગાડીઓ સ્થળ પર હાજર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X