નિતિન ગડકરી અને શરદ યાદવ કરશે ભારત બંધની શરૂઆત
ભાજપના પ્રવક્તા પ્રકાશ જાબડેકરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 20મી સપ્ટેમ્બરે યોજાનાર ભારત બંધને પ્રજા પૂર્ણ ટેકો આપી રહી છે. આ તો વિપક્ષના હુમલાની શરૂઆત છે. આ અંત નથી. જો સરકાર પોતાના નિર્ણયને પરત નહિં લે, તો આંદોલન વધુ સખત બનશે. કેન્દ્ર સરકારે ડીઝલના ભાવના ભાવમાં વધારો અને તેમજ રાંઘણગેસ ઉપર મળતી સબસિડીમાં કાપ મૂકી પહેલાંથી જ મોંઘવારીથી પીડાતી પ્રજા પર વધુ બોજો નાખ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ કહે છે કે પ્રજાએ તેમને ચૂંટ્યા છે, પણ પ્રજાએ તેમને લુંટફાટ કરવાનો હક આપ્યો નથી. વિદેશોના ઘણાં શહેરોમાં વૉલમાર્ટના સ્ટોર્સ ખોલવાની પરવાનગી નથી, કારણ કે જો વૉલમાર્ટના સ્ટોર્સ ખોલવાની પરવાનગી પરવાનગી આપવામાં આવે તો ત્યાંના લોકો બેરોજગાર થઈ જાય છે.
તેમણે જણાવ્યું હતું કે યુપીએ સરકારે લોકોને રોજગારી તો આપ્યું નહિં, પરંતુ રોજગારોને બેરોજગાર કરવાનું કાવતરૂ રચી નાંખ્યું. રિટેલ ક્ષેત્રે એફડીઆઈ જે પણ રાજ્યમાં લાગુ થશે, ત્યાંના લોકો ભારે સંખ્યામાં બેરોજગાર થશે.