દાગી નેતાઓ પર વટહુકમ સંપૂર્ણ રીતે બકવાસ છે : રાહુલ ગાંધી
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્હી ખાતે પત્રકારોને જણાવ્યું કે તેમની સરકાર દ્વારા દાગી નેતાઓને ટીકીટ નહી આપવા પર લાવવામાં આવેલ વટહુકમ સંપૂર્ણ રીતે બકવાસ છે અને તેને ફાડીને ફેંકી દેવો જોઇએ.
દાગી
નેતાઓ
પર
વટહુકમ
લાવવા
પર
રાહુલ
ગાંધીએ
પ્રેસ
કોન્ફ્રેન્સમાં
જણાવ્યું
કે
'મેં
જ્યારે
અજય
માકેન
સાથે
વાત
કરી
આ
અંગે
ચર્ચા
કરી
છે.
અને
આ
વટહુકમ
અંગે
મારી
પોતાની
વ્યક્તિગત
માન્યતા
એ
છે
કે
આ
વટહુકમ
સંપૂર્ણ
રીતે
બકવાસ
છે
તેને
ફાડીને
ફેકી
કેવો
જોઇએ.'
રાહુલે
વધુમાં
જણાવ્યું
કે
એ
દરેક
પાર્ટીઓએ
નક્કી
કરવાનું
છે
કે
દાગી
નેતાઓને
ટીકીટ
ના
આપે.
રાહુલે પત્રકારોને જણાવ્યું કે 'મારી સરકારે આ વટહુકમ લાવીને ખોટો નિર્ણય કર્યો છે. મારા મત મૂજબ આ વટહુકમનો કોઇ અર્થ નથી. શું તેનાથી દાગી નેતાઓને ટીકિટ મળવાનું બંધ થઇ જશે? નહી થાય. બીજા શું કરે છે મને એનાથી કોઇ મતલબ નથી પરંતુ મારી સરકાર શું કરે છે મને એનાથી મતલબ છે, મારી સરકારનો મને આ નિર્ણય માન્ય નથી.
રાહુલ ગાંધીની પોતાની જ સરકાર વિરુદ્ધની ટીપ્પણી પર અજય માકને જણાવ્યું કે 'રાહુલ ગાંધી પોતે પોતાના વિચારો ધરાવે છે અને કોંગ્રેસ પાર્ટીમાં દરેકને પોતાના મત રાખવાનો અધિકાર છે. તેમણે જે કહ્યું તે તેમના પોતાના વિચારો છે અને કોંગ્રેસ તેમની સાથે છે.'