ધોની સમેત સિંધુ અને આ લોકોને મળશે પદ્મભૂષણ
મહેન્દ્ર સિંહ ધોની, પીવી સિંધુ અને તેમના કોચ ગોપીચંદ સમેત નીચેના લોકોને મળશે પદ્મા એવોર્ડ.
છેવટે ભારત સરકારે 26 જાન્યુઆરી પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દીધી. આ વર્ષે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને ભારતનો ત્રીજો સૌથી મોટો પુરસ્કાર પદ્મભૂષણ મળશે. નોંધનીય છે કે ધોની આ એવોર્ડ જીતનાર નવમાં ક્રિકેટર હશે. 2002માં ક્રિકેટર ચંદૂ બોર્ડે આ એવોર્ડ જીત્યો હતો. આ પહેલા સીકે નાયડૂ, મહારાજકુમાર સમતે કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરને આ એવોર્ડ મળી ચૂક્યો છે. આ ઉપરાંત શટલ ક્વીન પીવી સિંધુ અને તેમના કોચ ગોપીચંદનને પણ પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવશે. વધુમાં શરદ પવાર, મુરલી મનોહર જોશી, પીએ સંગમા(મરણોપરાંત), જે. યેશુદાસને પણ આ એવોર્ડ આપવામાં આવશે.
ગુજરાતીઓ
અને
પદ્મ
એવોર્ડ
તો
બીજી
તરફ
આ
વખતે
શ્રી
રત્ન
સુંદર
મહારાજને
ભક્તિવાદ
માટે
પદ્મભૂષણનો
એવોર્ડ
આપવામાં
આવશે.
સંગીત
ક્ષેત્રે
ગુજરાતીના
પુરુષોત્તમ
ઉપાધ્યાયને
પણ
પદ્મશ્રી
એવોર્ડ
આપવામાં
આવશે.
આ
ઉપરાંત
સાહિત્ય
ક્ષેત્રે
વી.જી.
પટેલ
અને
વિષ્ણુ
પંડ્યાને
પદ્મશ્રીથી
નવાજાશે.
મેડિકલ
ક્ષેત્રે
ડૉ.
શુબ્રત્રો
દાસ
અને
દેવેન્દ્ર
પટેલને
પદ્મશ્રી
અપાશે.
તો
ખેતી
ક્ષેત્રે
જેનાભાઇ
પટેલને
પદ્મશ્રી
આપવામાં
આવશે.