ભારત જઇ રહ્યાં છો તો સંભાળીને જાઓઃ પાકિસ્તાન
પાકિસ્તાન સરકારે આ સલાહ એ સમયે જારી કરી છે જ્યારે જમ્મુ-કાશ્મિર જેલમાં થયેલા હુમલા બાદ પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ ગંભીર હાલતે ચંદીગઢની એક હોસ્પિટલમાં દાખલ છે. નોંધનીય છે કે, સનાઉલ્લાહ પર હુમલો, પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય સરબજીત પર હુમલો અને એ હુમલામાં તેનુ મોત થયા બાદ જ થયો હતો. જે દિવસે સરબજીતના મૃતદેહને સ્વદેશ લાવવામાં આવ્યો તે જ દિવસે પાકિસ્તાની કેદી પર જેલમાં હુમલો થયો હતો.
પાકિસ્તાન સરકાર તરફથી જારી આ સલાહમાં કહેવામાં આવ્યું છે કે ગત દિવસોમાં ભારતીય મીડિયામાં પરેશાન કરી મુકે તેવા સમાચારો આવી રહ્યાં છે. આ સમાચારોથી એવુ લાગી રહ્યું છે કે ભારત જતા પાકિસ્તાની નાગરીકોની સુરક્ષા ખતરામાં છે. પાકિસ્તાન સરકારની આ ચેતવણી એ 600થી વધારે જાયરીનો માટે પણ છે જે ઉર્સ માટે આ મહિને અજમેરશરીફ આવવાના છે.
નોંધનીય છે કે, સરબજીતનું મોત બાદ ઘટેલી ઘટનાઓથી ભારત-પાક સંબંધો ફરી એકવાર તણાવપુર્ણ થઇ ગયા છે. સરબજીતનું મોતથી ભારતીયો વચ્ચો ગુસ્સો હતો જે પાક કેદી પર થયેલા હુમલાથી પાકિસ્તાનમાં ગુસ્સો ફેલાયો છે.