ભારતના ગેરકાનૂની પગલાંનો જવાબ આપવામાં આવશે: પાકિસ્તાન
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 37૦ હટાવી દીધી છે. આ સાથે તેનો વિશેષ રાજ્યનો દરજ્જો પણ પૂરો થયો છે.
ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 37૦ હટાવી દીધી છે. આ સાથે તેનો વિશેષ રાજ્યનો દરજ્જો પણ પૂરો થયો છે. આ સમગ્ર ઘટના પર પાડોશી દેશ પાકિસ્તાનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને રાજ્ય વિભાગ દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે રવિવારે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરી એકવાર ટ્વીટ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370ના ફેસલા બાદ પાકિસ્તાનમાં હાહાકાર, શેર માર્કેટ ધડામ
|
કાશ્મીરના હકની લડાઈનો દાવો
પાકિસ્તાનના વિદેશ વિભાગ દ્વારા આ અંગે નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. વિદેશ વિભાગ વતી કહેવામાં આવ્યું છે કે કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય વિવાદ છે અને પાકિસ્તાન આ ગેરકાયદેસર પગલાનો જવાબ આપવા માટેના દરેક વિકલ્પ પર ધ્યાન આપશે. વિદેશ વિભાગે પણ કાશ્મીરની જનતા અને તેના લોકોનો અવાજ ઉઠાવવાના વચનને પુનરાવર્તિત કર્યું હતું.
|
કાશ્મીરના લોકોની ઇચ્છા વિરુદ્ધ
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીની ઓફિસ દ્વારા ટ્વિટર પર એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે અને તે યુએનએસસીની દરખાસ્તો અને કાશ્મીરના લોકોની ઇચ્છા વિરુદ્ધ છે." આ સાથે જ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેમનો દેશ કાશ્મીરની પ્રજાની ઈચ્છા મુજબ શાંતિપૂર્ણ પ્રસ્તાવને સમર્થન આપે છે. ઉપરાંત, અલવીએ દરેક મુશ્કેલ ક્ષણોમાં તેની સાથે ઉભા રહેવાના વચનનો પુનરોચ્ચાર કર્યો છે.

ઇમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મદદ માંગી
જમ્મુ-કાશ્મીરના તાજેતરના સંજોગો વચ્ચે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને રવિવારે ફરી એકવાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મદદ માંગી છે. પાકિસ્તાનના પીએમ ઇમરાને ટ્વિટ કરીને ટ્રમ્પને તેમના વચનની યાદ અપાવી છે. ઇમરાન ખાને લખ્યું, 'રાષ્ટ્રપતિ ટ્રમ્પે વચન આપ્યું હતું કે તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરશે. હવે તે સમય આવી ગયો છે જ્યારે ત્યાંની પરિસ્થિતિ વિકટ બની રહી છે અને ભારતીય સૈન્ય પણ એલઓસી પર આક્રમક બની રહ્યા છે. આ એક પ્રાદેશિક સંકટ પેદા કરી શકે છે. ' ઇમરાને યુએનએસસી ડ્રાફ્ટ હેઠળ કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા પણ માંગ કરી હતી. આપણે જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી એલઓસીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ચાલી રહ્યો છે. ટ્રમ્પે ઈમરાનને 22 જુલાઈએ વ્હાઇટ હાઉસ ખાતે મળ્યા હતા અને અહીં પહેલીવાર તેણે કાશ્મીર કેસમાં મધ્યસ્થીનો ઉલ્લેખ કર્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
