જાણો સંસદ હુમલાથી માંડીને અફઝલ ગુરૂની ફાંસી સુધીનો ઘટનાક્રમ

13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ, લોકતંત્રનું પવિત્ર મંદિર જ્યાં જનતા દ્રારા ચુંટેલા સાંસદો ભારતની નિતી-નિર્ણય કરે છે. સામાન્ય દિવસોમાં જ્યારે સંસદ ભવનના પરિસરમાં કોઇ સફેદ રંગની એમ્બેસેડર આવે છે તો કોઇ ધ્યાન આપતું નથી, પરંતુ તે દિવસે તે સફેદ રંગની એમ્બેસેડરે આતંક મચાવ્યો હતો. સંસદ ભવનના પરિસરમાં અચાનક એક સફેદ એમ્બેસેડરમાં આવેલા જૈશ-એ-મોહંમદના પાંચ આતંકવાદીઓ 45 મિનિટ સુધી સંસદ પરિસરમાં ગોળીબાર કરી ખળભળાટ મચાવ્યો હતો. સંસદ પર અચાનક થયેલા હુમલામાં આખા દેશને હચમચાવી મૂક્યો હતો.
સંસદ પરિસરમાં અચાનક થયેલા હુમલાને હાજર સુરક્ષાકર્મીઓએ જીવ જોખમે સામનો કર્યો હતો. લોકતંત્રના આ મંદિર પર આંચ ન આવે તે માટે તેમને પોતાના જીવ જોખમે પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓનો સામનો કરવા દિલ્હી પોલીસના પાંચ જવાનો, સીઆરપીએફની મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ શહીદ થયા હતા. આ મુઠભેડમાં 16 જવાનો ઘાયલ થયા હતા.
સંસદ પર હુમલાનું કાવતરૂ ઘડનાર મુખ્ય આરોપી અને હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૂને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સંસદ પર હુમલાનું કાવતરૂ ઘડવાના આરોપોમાં સુપ્રિમ કોર્ટે 4 ઓગષ્ટ 2005ના રોજ અફઝલ ગુરૂને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે 20 ઓક્ટોબર 2006ના રોજ અફઝલ ગુરૂને ફાંસીના માંચડે લટકાવાયો હતો. 3 ઓક્ટોબર 2006ના રોજ અફઝલ ગુરૂની પત્ની તબ્બસુમે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરી હતી. ત્યારથી મુદ્દો વિચારણા હેઠળ હતો.
મુંબઇ હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસીના માંચડે લટકાવ્યા બાદ અફઝલ ગુરૂને પણ ફાંસીએ લટકાવવાની માંગ થઇ રહી છે. રાષ્ટ્રપતિએ આ દયાની અરજી પર ગૃહમંત્રીની સલાહ માંગી હતી. ગૃહ મંત્રાલયે આને દિલ્હી સરકારને મોકલી આપી હતી જ્યાં દિલ્હી સરકારે તેને નકારી કાઢી ગૃહમંત્રાલયને પાછી મોકલી હતી. ગૃહ મંત્રાલયે પણ દયાની અરજી નિર્ણય લેવામાં સમય વિતાવ્યો હતો પરંતું મંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિ પાસે મોકલી દિધી હતી. અંતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અફઝલ ગુરૂની દયાની અરજીને નકારી કાઢી ફાંસીના માંચડે ચઢાવવાની મોહર લગાવી હતી અને ત્યારબાદ ગૃહમંત્રાલયે અફઝલ ગુરૂને ફાંસી પર લટકાવવાના નિર્ણયને અંતિમ રૂપ આપતાં શનિવારે સવારે તિહાર જેલમાં ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
