જાણો સંસદ હુમલાથી માંડીને અફઝલ ગુરૂની ફાંસી સુધીનો ઘટનાક્રમ

13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ, લોકતંત્રનું પવિત્ર મંદિર જ્યાં જનતા દ્રારા ચુંટેલા સાંસદો ભારતની નિતી-નિર્ણય કરે છે. સામાન્ય દિવસોમાં જ્યારે સંસદ ભવનના પરિસરમાં કોઇ સફેદ રંગની એમ્બેસેડર આવે છે તો કોઇ ધ્યાન આપતું નથી, પરંતુ તે દિવસે તે સફેદ રંગની એમ્બેસેડરે આતંક મચાવ્યો હતો. સંસદ ભવનના પરિસરમાં અચાનક એક સફેદ એમ્બેસેડરમાં આવેલા જૈશ-એ-મોહંમદના પાંચ આતંકવાદીઓ 45 મિનિટ સુધી સંસદ પરિસરમાં ગોળીબાર કરી ખળભળાટ મચાવ્યો હતો. સંસદ પર અચાનક થયેલા હુમલામાં આખા દેશને હચમચાવી મૂક્યો હતો.
સંસદ પરિસરમાં અચાનક થયેલા હુમલાને હાજર સુરક્ષાકર્મીઓએ જીવ જોખમે સામનો કર્યો હતો. લોકતંત્રના આ મંદિર પર આંચ ન આવે તે માટે તેમને પોતાના જીવ જોખમે પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓનો સામનો કરવા દિલ્હી પોલીસના પાંચ જવાનો, સીઆરપીએફની મહિલા કોન્સ્ટેબલ અને સંસદના બે ગાર્ડ શહીદ થયા હતા. આ મુઠભેડમાં 16 જવાનો ઘાયલ થયા હતા.
સંસદ પર હુમલાનું કાવતરૂ ઘડનાર મુખ્ય આરોપી અને હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરૂને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. સંસદ પર હુમલાનું કાવતરૂ ઘડવાના આરોપોમાં સુપ્રિમ કોર્ટે 4 ઓગષ્ટ 2005ના રોજ અફઝલ ગુરૂને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે આદેશ આપ્યો હતો કે 20 ઓક્ટોબર 2006ના રોજ અફઝલ ગુરૂને ફાંસીના માંચડે લટકાવાયો હતો. 3 ઓક્ટોબર 2006ના રોજ અફઝલ ગુરૂની પત્ની તબ્બસુમે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી દાખલ કરી હતી. ત્યારથી મુદ્દો વિચારણા હેઠળ હતો.
મુંબઇ હુમલાના આરોપી અજમલ કસાબને ફાંસીના માંચડે લટકાવ્યા બાદ અફઝલ ગુરૂને પણ ફાંસીએ લટકાવવાની માંગ થઇ રહી છે. રાષ્ટ્રપતિએ આ દયાની અરજી પર ગૃહમંત્રીની સલાહ માંગી હતી. ગૃહ મંત્રાલયે આને દિલ્હી સરકારને મોકલી આપી હતી જ્યાં દિલ્હી સરકારે તેને નકારી કાઢી ગૃહમંત્રાલયને પાછી મોકલી હતી. ગૃહ મંત્રાલયે પણ દયાની અરજી નિર્ણય લેવામાં સમય વિતાવ્યો હતો પરંતું મંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિ પાસે મોકલી દિધી હતી. અંતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અફઝલ ગુરૂની દયાની અરજીને નકારી કાઢી ફાંસીના માંચડે ચઢાવવાની મોહર લગાવી હતી અને ત્યારબાદ ગૃહમંત્રાલયે અફઝલ ગુરૂને ફાંસી પર લટકાવવાના નિર્ણયને અંતિમ રૂપ આપતાં શનિવારે સવારે તિહાર જેલમાં ફાંસી પર લટકાવવામાં આવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
